સૂર્ય ગ્રહનો મંગળવારે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો. રાશિ પરિવર્તન પછી તેનું ગોચર 16 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. વૃશ્ચિક રાશિમાં બુદ્ધિ અને વાણીના કારક ગ્રહ બુધનો 21 નવેમ્બરના રોજ પ્રવેશ પણ થશે. બંને ગ્રહોના એક રાશિમાં ગોચર થવાથી બુધાદિત્ય યોગ બનશે. આ યુતિ 10 ડિસેમ્બર સુધી રહેશે, જે ઉન્નતિ અને ખુશહાલી લાવશે. બુધની ચાલમાં ફેરફાર થવાથી એક દિવસ પહેલાં ગુરુ પણ રાશિ બદલીને કુંભમાં આવી જશે. આ પ્રકારે સપ્તાહમાં 3 ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે.
બુધાદિત્ય યોગ સમૃદ્ધિ આપનાર રહેશે
જ્યોતિષના જણાવ્યા પ્રમાણે સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય, મેષ રાશિમાં ઉચ્ચના અને તુલા રાશિમાં નીચના રહેશે. વિદ્વાનો પ્રમાણે જ્યારે પણ બુધ અને સૂર્ય એક રાશિમં આવી જાય છે, ત્યારે બુધાદિત્ય યોગ રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યદેવના શુભ પ્રભાવથી સુખમાં વધારો, સરકારી નોકરીના યોગ, ઉન્નતિ અને સન્માનની પ્રાપ્તિ થાય છે, જ્યારે અશુભ પ્રભાવથી પિતા-પુત્રમાં વિવાદ, બેરોજગારી અને ઉન્નતિમાં વિઘ્ન આવે છે.
નવગ્રહોમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ પ્રદાન કરનાર ગ્રહ પણ માનવામાં આવે છે. બુધના શુભ હોવાથી વ્યક્તિની ભાષા અને બોલી મધુર થાય છે. વેપાર વગેરેમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે. મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ જ છે.
20 નવેમ્બરના રોજ દેવગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ
જ્યોતિષ જાણકારો પ્રમાણે 20 નવેમ્બરના રોજ દેવગુરુ બૃહસ્પતિનો કુંભ રાશિમાં પ્રવેશ થશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગુરુના રાશિ પરિવર્તનને મુખ્ય માનવામાં આવે છે. ગુરુ પોતાની નીચ રાશિ મકરમાંતી કુંભમાં પ્રવેશ કરશે. તેઓ એક રાશિમાં લગભગ 13 મહિના રહે છે. મોટાભાગે કોઈપણ રાશિમાં ફરી આવવામાં ગુરુને લગભગ 12 વર્ષ લાગે છે.
12 વર્ષ પહેલાં 2009માં ગુરુ કુંભ રાશિમાં હતો. કુંભ રાશિમાં બૃહસ્પતિના પ્રવેશની અસર થોડા રાશિઓ ઉપર શુભ રહેશે. દેવગુરુના રાશિ ગોચરથી મેષ, કર્ક, કન્યા અને મકર રાશિના લોકો માટે લાભદાયક રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.