તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાભારતમાં કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું હતું અને પિતામહ ભીષ્મ કૌરવોના સેનાપતિ હતાં. યુદ્ધની શરૂઆતથી જ દુર્યોધન ભીષ્મ પિતામહ સામે કટાક્ષ કરવા લાગ્યો હતો. દુર્યોધનની આવી વાતોથી દુઃખી થઇને પિતામહે ઘોષણા કરી દીધી હતી કે, તેઓ બધા જ પાંડવોનો વધ કરી દેશે.
થોડાં સમયમાં પાંડવો સુધી આ વાત પણ પહોંચી ગઇ કે, ભીષ્મ પિતામહે તેમનો વધ કરવાનો સંકલ્પ લીધો છે. જેથી પાંડવો ચિંતિત થઇ ગયાં, કેમ કે, પિતામહ ભીષ્મને યુદ્ધમાં હરાવવા અસંભવ હતાં. આ વાતની શ્રીકૃષ્ણને પણ જાણ થઇ ત્યારે તેઓ દ્રૌપદીને લઇને ભીષ્મા શિબિર પહોંચ્યાં.
શ્રીકૃષ્ણ શિબિરની બહાર જ ઊભા રહી ગયાં અને દ્રૌપદીને ભીષ્મ પિતામહ પાસે મોકલી દીધી અને કહ્યું કે, અંદર જઇને પિતામહને પ્રણામ કરો. શ્રીકૃષ્ણની વાત માનીની દ્રૌપદી ભીષ્મ પિતામહ પાસે ગઇ અને તેમને પ્રણામ કર્યાં. ભીષ્મ પિતામહે પોતાની કુળવધુને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દીધાં.
ત્યારબાદ પિતામહે દ્રૌપદીને પૂછ્યુ કે, આટલી રાતે તું અહીં એકલી કઇ રીતે આવી? શું શ્રીકૃષ્ણ તને અહીં લઇને આવ્યો છે? દ્રૌપદીએ કહ્યું- જી પિતાહમ, હું શ્રીકૃષ્ણ સાથે જ અહીં આવી છું અને તેઓ શિબિરની બહાર ઊભા છે.
આ સાંભળીને ભીષ્મ તરત જ દ્રૌપદીને લઇને શિબિરની બહાર આવ્યાં અને શ્રીકૃષ્ણને પ્રણામ કર્યાં. ભીષ્મએ શ્રીકૃષ્ણને કહ્યું કે, મારા એક વચનને મારા બીજા વચનથી કાપવાનું કામ શ્રીકૃષ્ણ જ કરી શકે છે. ત્યાર બાદ શ્રીકૃષ્ણ અને દ્રૌપદી પોતાના શિબિરમાં જતાં રહ્યાં. રસ્તામાં શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે, હવે બધા જ પાંડવોને જીવનદાન મળી ગયું છે. વડીલોના આશીર્વાદ કવચની જેમ કામ કરે છે, તેને કોઇ અસ્ત્ર-શસ્ત્ર ભેદી શકતાં નથી. એટલે ઘરના વડીલોનું હંમેશાં સન્માન કરવું જોઇએ. તેમની શુભકામનાઓ આપણાં વિઘ્નોને દૂર કરી શકે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.