હિંદુ કેલેન્ડર પ્રમાણે 24 જૂન, શુક્રવારના રોજ યોગિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે બની શકે તો ઉપવાસ કરો. ઉપવાસમાં અનાજ ખાઇ શકાય નહીં. ઉપવાસ કરી શકો નહી તો એક સમયે ફળાહાર કરી શકાય છે. આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.
યોગિની એકાદશી વ્રત અને પૂજા વિધિ
ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં
યોગિની એકાદશી વ્રતની કથા
સ્વર્ગની અલકાપુરી નગરીમાં રાજા કુબેર રહેતાં હતાં. તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતાં હતાં અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો. જેની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લઇને આવ્યો, પરંતુ તે પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો.
પૂજામાં મોડું થવાના કારણે કુબેરે માળીને શ્રાપ આપ્યો કે, તુ પત્નીથી દૂર રહીશ અને પૃથ્વી ઉપર જઇને કોઢી બનીશ. કુબેરના શ્રાપથી હેમ માળી પૃથ્વી ઉપર ગયો અને તેને કોઢ થઇ ગયો. તેની પત્ની પણ તેની પાસે હતી નહીં. તે ઘણાં લાંબા સમયથી દુઃખી રહ્યો. એક દિવસ તે માર્કણ્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તેને જોઇને ઋષિએ કહ્યું, તે એવું કયું પાપ કર્યું છે, જેના કારણે તારી આવી સ્થિતિ થઇ ગઇ. હેમ માળીએ સંપૂર્ણ વાત તેમને જણાવી. તેમની પરેશાની સાંભળીને ઋષિએ તેને યોગિની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. હેમ માળીએ વિધિપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.