દિવાળી પર્વ નિમિત્તે આજે કાળી ચૌદશની ઉજવણી કરાશે. આવા દિવસે હનુમાનજી, શનિદેવ, ઘંટાકર્ણ મહાવીર, બટુકભૈરવ, નરસિંહ કાળભૈરવ, મહાકાળી, ઉગ્રદેવ, નવગ્રહ, યંત્ર કે રક્ષક દેવોની આરાધના-ઉપાસના કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું કે, આ દિવસે શ્રદ્ધા પૂર્વક પૂજા-પાઠ કરવાથી લાંબા સમયની માંદગીમાંથી રાહત મળે છે તેમજ આકસ્મિક મૃત્યુ કે અકસ્માત ટળે છે. સાંજે 6.45 વાગ્યા બાદ જપ, તપ, યજ્ઞ અને દીપદાન કરવાથી વિશેષ ફળદાયી નીવડશે.
કાળી ચૌદશના દિવસે ‘ઓમ નમો હનુમંતે નમઃ, ઓમ ઓમ રીમ બટુકાય નમઃ, ઓમ શં શનીશચારાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તે ઉપંરાત કાળા તલ, કપડા, અડદ, દેશી ચણા, શિંગોડાના પાન ભિક્ષુકોને આપવાથી સંકટ દૂર થાય છે. નાના બાળકોને નજરથી બચવવા કાળી દોરીમાં માદળિયું બનાવી મંત્રોચ્ચાર કરી પહેરાવી શકાય. એ સાથે જ જે પરિવારમાં લાંબા સમયથી માંદગી રહેતી હોય તેમણે સંધ્યા સમયે તલના તેલનો દીવો કરી અખંડ રાખવો જોઈએ.
કાળી ચૌદશના દિવસે ગ્રહ ગોચરનો પ્રભાવ એવો જોવા મળે છે કે, ગમે તે વ્યક્તિની ભારે નજર લાગેલી હોય, ધંધામાં રૂકાવટ હોય, લાંબી માંદગી હોય કે કોઈપણ કામમાં બરકત ન આવતી હોય તો આજે રાત્રે અડદની દાળના વડા કે ચણાના લોટના ભજીયા બનાવીને આખા ઘરમાંથી નજર ઉતારી પાણીનો લોટો ભરી ચાર રસ્તે મુકી તેની ફરતે પાણીનું ગોળ કુંડાળું કરવાથી ચોક્કસ રાહત જણાશે.
સાંજે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો-કાળી ચૌદશના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીપદાન સાથે કરવામાં આવે છે. આજે સાંજે યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી તે ઘરમાં રહેતા લોકો ઉપર યમરાજ પ્રસન્ન થાય છે અને પરિવારના લોકોમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.
1. સ્કંદ પુરાણ પ્રમાણે-
कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां निशामुखे।
यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनिश्यति ।।
અર્થ- આસો મહિનાના વદ પક્ષની તેરસ અને ચૌદશ તિથિએ સંધ્યાકાળમાં ઘરની બહાર યમદેવ માટે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. એટલે આવું કરવાથી અસમય મૃત્યુથી બચી શકાય છે.
યમદેવતા માટે દીપદાન કઈ રીતે કરવું
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.