વૈશાખ મહિનો હાલ શરૂ જ થયો છે. જે 30 મેના રોજ પૂર્ણ થશે. આ દિવસોમાં ખાનપાન અને દૈનિક જીવનમાં ફેરફાર કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને પુરાણોમાં વૈશાખ મહિના સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવી છે. જેમાં ખાન-પાનથી લઈને સૂવા સુધી કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈશાખ મહિનામાં ગ્રંથોમાં જણાવેલી વાતોને ધ્યાનમાં રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.
જલ્દી જાગીને સ્નાન કરવાથી બીમારીઓ દૂર થાય છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. સ્કંદ પુરાણ પ્રમાણે વૈશાખ મહિનો બધા મહિનામાં ઉત્તમ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે, સૂર્યને અર્ઘ્ય આપે છે અને વ્રત રાખે છે. તે ક્યારેય બીમારી થતો નથી. તેમના ઉપર ભગવાનની કૃપા રહે છે અને તેને બધા દુઃખોથી મુક્તિ મળે છે.
વૈશાખ મહિનામાં શું કરવું
આ બાબતોનું ધ્યાન રાખવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.