વૈશાખ મહિનો 1મે થી 30 મે સુધી રહેશે. આ મહિનાને પુરાણોમાં ખૂબ જ ખાસ ઉલ્લેખવામાં આવ્યો છે. ગ્રંથો પ્રમાણે વૈશાખ મહિનામાં ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. સાથે જ, આ મહિનામાં પીપળા અને તુલસી પૂજા પણ કરવાની પરંપરા છે. આવું કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. સાથે જ, જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ દૂર થાય છે. વૈશાખ, ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે.
પંચામૃતનો ખાસ ભોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે વૈશાખ મહિનાને માધવ મહિનો પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃત અને તુલસીદળનો ભોગ ધરાવવો જોઈએ. સફેદ અને પીળા ફૂલ ચઢાવવાથી પૂજા ખાસ ફળદાયી બની જાય છે.
નદીઓમાં ગંગા શ્રેષ્ઠ
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ મહિનામાં તરસ્યાને પાણી પીવડાવવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે. મહર્ષિ નારદે કહ્યું હતુ કે જે પ્રકારે દેવતાઓમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, તે પ્રકારે વૈશાખ વિષ્ણુનો પ્રિય મહિનો હોવાથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શ્રીહરિ, દેવી ઉપાસનાનો ખાસ મહિનો
વૈશાખ ખાસ કરીને શ્રીહરિ, દેવી અને પરશુરામજીની ઉપાસનાનો મહિનો છે. વિષ્ણુ પૂજા, ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન-દાનનું અનેકગણું ફળ મળે છે. આ મહિનો સારા સ્વાસ્થ્ય માટે જળ સાથે જવનું સેવન લાભકારી છે.
મોટા તિથિ-તહેવારનો મહિનો
વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુના પરશુરામ અવતારની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આ મહિને સુદ પક્ષની ત્રીજ તિથિએ તેની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયા પર્વ ઊજવવામાં આવે છે. આ તિથિ સાથે જ વૈશાખ મહિનામાં આવતી વરૂથિની અને મોહિની એકાદશીનું વ્રત કરવાથી અખૂટ પુણ્ય મળે છે. વૈશાખ મહિનામાં કરવામાં આવતા ધર્મ-કર્મથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.