રવિવાર, 20 નવેમ્બરે કારતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. આ એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. ઉત્પન્ના એકાદશી અને રવિવારનો યોગ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ મહિનામાં શ્રીકૃષ્ણની, એકાદશીના દિવસે વિષ્ણુજી અને રવિવારે સૂર્યની ખાસ પૂજા કરવામાં આવે છે. 20 નવેમ્બરે આ ત્રણેય દેવતાઓ માટે પૂજાપાઠ ચોક્કસ કરવા જોઈએ. ધ્યાન રાખો ધર્મ-કર્મની શરૂઆત ગણેશ પૂજા સાથે કરવી જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ એકાદશી અંગે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવતી પૂજાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જો કોઈ ખાસ ઇચ્છા માટે એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજા કરવામાં આવે તો તેનાથી પણ સફળતા મળી શકે છે. એકાદશીએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન-પુણ્ય કરવું.
સૂર્ય પૂજા કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય છે
સ્કંદ પુરાણમાં એકાદશીનો ઉલ્લેખ
હિંદું પંચાંગમાં એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જે વર્ષે અધિક માસ રહે છે, તે વર્ષમાં કુલ 26 એકાદશી આવે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવ પુત્ર યુધિષ્ઠિરને એકાદશી અંગે જાણકારી આપી હતી. જે ભક્ત એકાદશી વ્રત કરે છે, તેમને ભગવાન શ્રીહરિની કૃપા મળે છે. નકારાત્મક વિચાર દૂર થાય છે. અક્ષય પુણ્ય મળે છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાયેલી રહે છે.
એકાદશીએ ભગવાન વિષ્ણુના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીનો પણ અભિષેક કરો. બંને દેવી-દેવતાને પીળા વસ્ત અર્પણ કરો. ફૂલોથી શ્રૃંગાર કરો. તુલસીના પાન સાથે મીઠાઈ અને સિઝનલ ફળનો ભોગ ધરાવવો.
એકાદશીએ આ શુભ કામ પણ કરી શકો છો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.