• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Traditions Of Aghan Month Are Done In This Month Worship Of Shri Krishna, Conch Shell And Lakshmi Ji, Sins End By Bathing In The River

માગશર મહિનાની પરંપરા:આ મહિનામાં શ્રીકૃષ્ણ, શંખ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે, નદી સ્નાન કરવાથી પાપ નષ્ટ પામે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 નવેમ્બર, ગુરુવાથી ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો માગશર શરૂ થઈ રહ્યો છે, સુખ-સમૃદ્ધિ માટે આ મહિને લક્ષ્મી પૂજા કરવી

24 નવેમ્બરથી માગશર મહિનો શરૂ રહ્યો છે. જે 23 ડિસેમ્બર સુધી રહેશે. આ મહિને કરવામાં આવતા સ્નાન-દાન, વ્રત અને પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે. માગશર મહિનામાં નદીઓનું ખાસ મહત્ત્વ છે. ધર્મગ્રંથોના જાણકારો પ્રમાણે માગશર મહિનો શ્રીકૃષ્ણને પ્રિય હોવાથી આ મહિને યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ. જેથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. આ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે એટલે પૂનમના દિવસે ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે. એટલે તેને માર્ગશીર્ષ કહેવામાં આવે છે.

આ મહિનામાં નદીમાં સ્નાન કરવાની પરંપરા છે
માગશર મહિનામાં કરેલાં ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મહિનામાં નદી સ્નાન અને દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ છે. શ્રીકૃષ્ણને જ્યારે ગોપીઓ પ્રાપ્ત કરવા માટે ધ્યાન લગાવી રહી હતી, ત્યારે શ્રીકૃષ્ણએ માગશર મહિનાનું મહત્ત્વ જણાવ્યું હતું. ભગવાને કહ્યું કે, મારશર મહિનામાં યમુના સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકાય છે. ત્યારથી જ આ મહિનામાં યમુના અને અન્ય નદીઓમાં સ્નાન કરવાની પરંપરા ચાલી રહી છે.

લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે
લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે

લક્ષ્મી પૂજામાં શંખ રાખવાનું વિશેષ મહત્ત્વ
શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. જેના કારણે લક્ષ્મી પૂજામાં શંખને પણ વિશેષ રાખવામાં આવે છે. લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. માન્યતા છે કે, સમુદ્ર મંથનથી શંખ પણ પ્રકટ થયો હતો.

શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલની પૂજા કરો
આ મહિનામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બોળ ગોપાલની વિશેષ પૂજા રોજ કરો. પૂજામાં રોજ સવારે ભગવાનને સ્નાન કરાવો. દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. તુલસી સાથે ભોગ ધરાવો. પીળા વસ્ત્ર અર્પણ કરો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. શ્રીકૃષ્ણના જન્મ સ્થળ મથુરાની યાત્રા કરવાની પરંપરા પણ છે. મથુરા પાસે જ ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન પર્વતની પણ યાત્રા કરી શકાય છે. મથુરામાં યમુના નદીમાં સ્નાન કરો.