આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે રાખવામાં આવે છે. 13મીએ એટલે કાલે માસિક શિવરાત્રિ છે. આ દિવસ પણ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે માસિક શિવરાત્રિ વ્રત રાખવામાં આવે છે અને ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. બીજા દિવસે એટલે 14 ડિસેમ્બરના રોજ કારતક મહિનાની અમાસ છે. આ દિવસે સોમવાર હોવાથી સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે.
શનિ પ્રદોષ અને માસિક શિવરાત્રિના દિવસે શિવપૂજાઃ-
શનિ દ્વારા રાહત મળશે, શિવજીની પૂજા ફળદાયી રહેશેઃ-
એક મહિનામાં બે પ્રદોષ તિથિ સુદ પક્ષ અને વદ પક્ષ આવે છે. શનિવાર કે સોમવારનો સંયોગ હોવો આ પ્રદોષ વ્રતના ફળને અનેકગણો વધારી દે છે. આ વખતે સંયોગથી શનિ પણ પોતાની સ્વરાશિ મકરમાં હોવાથી શનિની પીડામાં શિવ પૂજનથી રાહત મળશે. પ્રદોષ વ્રતમાં શિવપૂજા આયુ, આરોગ્ય પ્રદાતા અને સંકટોનો નાશ કરનારી હોય છે. અચાનક આવતી દુર્ઘટનાઓથી પણ શિવની ભક્તિ રક્ષા કરે છે.
ભગવાન શિવ નાની-નાની કોશિશોથી જ પ્રસન્ન થાય છે, પરંતુ થોડા વિશેષ દિવસ તેમની ભક્તિ માટે ખાસ હોય છે. જે લોકોને શનિની સાડાસાતી હોય કે શનિની ઢૈય્યા ચાલી રહી હોય અને કુંડળીમાં શનિ ખરાબ અવસ્થામાં હોય, વક્રી થઇને અશુભ ફળ આપી રહ્યો હોય તેમણે શનિ પ્રદોષનું વ્રત કરવું જોઇએ.સોમવતી અમાસના દિવસે શિવ અને શનિ પૂજાઃ-ભગવાન શિવનો જન્મ અમાસના દિવસે થયો હતો. એટલે શનિ પીડાથી રાહત મેળવવા માટે દર મહિને આવતી અમાસે શનિદેવનું વિશેષ પૂજન કરવાનું વિધાન છે. અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય છે. એટલે આ દિવસને પર્વ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ, શનિદેવના ગુરુ છે. સોમવાર શિવપૂજાનો દિવસ હોય છે. એટલે આ વખતે સોમવતી અમાસ પર્વમાં શિવજી અને શનિદેવની પૂજાથી અનેક પ્રકારના દોષ દૂર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.