આ સપ્તાહ ગુરુવારે સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. જેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ પર્વમાં સૂર્ય પૂજા સાથે જ તીર્થ સ્નાન અને દાનની પરંપરા છે. સૂર્યના ધન રાશિમાં આવી જવાથી આ દિવસથી ખરમાસ શરૂ થઈ જશે. જેને ધનુર્માસ પણ કહેવામાં આવે છે. આ એક મહિનામાં માંગલિક કાર્યો કરવા વર્જિત છે. તેના પછી પૂનમ તિથિએ ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ ઊજવવામં આવશે. સાથે જ માગશર પૂર્ણિમા પછી પોષ મહિનો શરૂ થઈ જશે.
બે દિવસ પૂનમ રહેશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ સપ્તાહના છેલ્લાં દિવસોમાં ભગવાન દત્તાત્રેયનો પ્રાકટ્ય દિવસ ઊજવવામાં આવશે. શનિવારે સૂર્યોદય પછી પૂનમ તિથિ શરૂ થઈ જશે જે રવિવારે સવારે લગભગ 10 વાગ્યા સુધી રહેશે. એટલે દત્ત જંયતી 18મીએ અને સ્નાન-દાન પર્વ 19 ડિસેમ્બરના રોજ ઉજવાશે.
દત્તાત્રેય જયંતી (18 ડિસેમ્બર, શનિવાર)- માગશર મહિનાની પૂનમના દિવસે ભગવાન દત્તાત્રેયનો પ્રાકટ્ય દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય પછી પૂનમ તિથિની શરૂઆત થવાથી શનિવારે દત્તાત્રેય જયંતી પર્વ ઊજવવામાં આવશે. ભગવાન દત્તાત્રેયમાં ત્રિદેવોનો અંશ છે. એટલે તેમની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ, શિવજી અને બ્રહ્માજી પણ પ્રસન્ન થાય છે.
માગશર પૂર્ણિમા (19 ડિસેમ્બર, રવિવાર)- આ દિવસ માગશર મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. સૂર્યોદય સમયે પૂર્ણિમા તિથિ હોવાથી આ દિવસે સ્નાન-દાન અને પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. સ્કંદ અને પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માગશર મહિનાની પૂનમ તિથિએ કરવામાં આવતા તીર્થ સ્નાન, દાન અને પિતૃ કર્મથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.