શ્રાવણ મહિનાનું પહેલું પ્રદોષ વ્રત 20 ઓગસ્ટ, શુક્રવારે આવી રહ્યું છે. શુક્રવારના દિવસે આવતા પ્રદોષને શુક્ર પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. શુક્રવાર હોવાના કારણે શિવપૂજાથી સુખ-સમૃદ્ધિ અને ઉંમર પણ વધે છે.
શિવ અને સ્કંદ પુરાણમાં પ્રદોષઃ-
શિવ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ એટલે તેરસ તિથિએ સાંજે સૂર્યાસ્ત સમયે એટલે પ્રદોષ કાળમાં ભગવાન શિવ કૈલાશ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે. આ દરમિયાન કરવામાં આવતી પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.
શુક્રવારના રોજ તેરસ તિથિઃ-
શ્રાવણનું પહેલું પ્રદોષ વ્રત શુક્રવારે રહેશે. સુદ પક્ષની તેરસ તિથિ ગુરુવાર રાતે લગભગ 11 વાગ્યાથી શરૂ થઈ જશે. જે શુક્રવારે રાતે લગભગ 9 વાગ્યા સુધી રહેશે. શુક્રવારે સૂર્યાસ્ત એટલે પ્રદોષ કાળમાં તેરસ તિથિ હોવાથી આ દિવસે આ વ્રત કરવું જોઈએ.
પ્રદોષ વ્રત અને પૂજા વિધિઃ-
પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જળ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્ય અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડાં પહેરીને પૂર્વ દિશામાં મોઢું રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઇએ. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.