9 મે, સોમવારે બગલામુખી જયંતી છે. ગ્રંથો પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમના રોજ દેવી બગલામુખી પ્રકટ થયા હતાં. આ કારણે આ તિથિને બગલામુખી જયંતી તરીકે ઊજવવામાં આવે છે. માતા બગલામુખી દસ મહાવિદ્યાઓમાંથી એક છે. ગ્રંથોમાં તેમનો રંગ પીળો ઉલ્લેખવામાં આવે છે અને તેમને પીળો રંગ ખૂબ જ પસંદ છે એટલે તેમનું એક નામ પિતાંબરા પણ છે. મહામારીથી બચવા અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે દેવી બગલામુખીની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
પિતાંબરાઃ દસમહાવિદ્યાઓમાં આઠમી વિદ્યા
દેવી બગલામુખીને પીળો રંગ ખૂબ જ ગમે છે. એટલે તેમનું એક નામ પિતાંબરા પણ છે. આ રંગ પવિત્રતા, આરોગ્ય અને ઉત્સાહનો રંગ માનવામાં આવે છે. તેમની પૂજામા પીળા રંગના કપડા, ફૂલ, આસન, માળા, મીઠાઈ અને અન્ય સામગ્રીઓનો રંગ પણ પીળો જ હોય છે. રોગ અને મહામારીથી બચવા માટે હળદર અને કેસરથી દેવી બગલામુખીની વિશેષ પૂજા કરવી જોઈએ. દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાં આ આઠમી વિદ્યા છે. આ દેવીની પૂજાથી દુશ્મન, રોગ અને ઉધારીથી પરેશાન લોકોને લાભ મળી શકે છે.
વ્રત અને પૂજા વિધિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.