તહેવાર:30 નવેમ્બરે કારતક મહિનાની પૂનમ, આ દિવસને દેવ દિવાળી અને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30 નવેમ્બરના રોજ ગુરૂનાનક જયંતી, આ તિથિએ જરૂરિયાતમંદ લોકોને દાન કરો

સોમવાર, 30 નવેમ્બરના રોજ કારતક મહિનાની અંતિમ તિથિ પૂનમ છે. આ તિથિએ ગુરુનાનક દેવની જયંતી પણ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર થયો હતો. જાણો આ પૂર્ણિમાનું મહત્ત્વ અને આ દિવસે ક્યા-ક્યા શુભ કામ કરી શકાય છે તેના વિશે....

કારતક પૂર્ણિમાની ખાસ વાતોઃ-
આ પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ તિથિએ શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો, આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે.

એક અન્ય માન્યતા છે કે, આ દિવસે દેવતાઓની દિવાળી હોય છે. એટલે તેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસથી કારતક મહિનાનું સ્નાન પૂર્ણ થઇ જાય છે. કારતક પૂર્ણિમાએ પવિત્ર નદીમાં સ્નાન, દીપદાન, પૂજા, આરતી, હવન અને દાનનું ખૂબ જ મહત્ત્વ છે.

કારતક પૂર્ણિમાએ આ શુભ કામ કરી શકો છોઃ-

  • ભગવાન વિષ્ણુ માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઇએ.
  • આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન પછી દીપદાન, પૂજા, આરતી અને દાન કરવામાં આવે છે.
  • કાર્તિક પૂર્ણિમાએ ગરીબોને ફળ, અનાજ, દાળ, ચોખા, ગરમ કપડાં વગેરે વસ્તુઓનું દાન કરવું જોઇએ.
  • કાર્તિક પૂર્ણિમાએ સવારે જલ્દી જાગવું જોઇએ. પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું. સ્નાન કરતી સમયે બધા જ તીર્થનું ધ્યાન કરવું જોઇએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું.
  • શિવલિંગ ઉપર જળ ચઢાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અભિષેક કરો. કપૂર પ્રગટાવીને આરતી કરો. શિવજી સાથે જ ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની પણ વિશેષ પૂજા કરો.
  • પૂર્ણિમાએ હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.