શ્રાવણ મહિનાનો શનિવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ હોય છે. આ દિવસે હનુમાનજી, શનિદેવ અને ભગવાન નૃસિંહની પૂજાનું વિધાન છે. સ્કંદ પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનાના શનિવારે આ ત્રણ દેવોની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે તેલથી હનુમાનજી અને શનિદેવનો અભિષેક કરવો જોઇએ. સાથે જ, નૃસિંહ ભગવાનની વિશેષ પૂજા પછી બ્રાહ્મણોને તલમાંથી બનેલું ભોજન કરાવવું જોઇએ. આવું કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સ્કંદપુરાણઃ શ્રાવણ શનિવારે હનુમાન પૂજાથી વિઘ્નો દૂર થાય છે
શ્રાવણ મહિનામાં શનિવારે હનુમાનજીની આરાધના કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. માનસિક અને શારીરિક રૂપથી મજબૂતી મળે છે. હનુમાનજીની કૃપાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. વિચારેલાં કામ પૂર્ણ થવા લાગે છે. બુદ્ધિ અને વૈભવ વધે છે. દુશ્મન નષ્ટ થઇ જાય છે અને પ્રસિદ્ધિ મળે છે.
શ્રાવણ મહિનામાં શિવ અને શનિપૂજા
ભગવાન શિવ, શનિદેવના ગુરુ છે. શિવે જ શનિદેવને ન્યાયાધીશનું પદ આપ્યું હતું. જેના ફળસ્વરૂપ શનિદેવ મનુષ્યોને કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલે શ્રાવણ મહિનામાં જે લોકો ભગવાન શિવ સાથે શનિદેવની ઉપાસના કરે છે. તેમને શુભફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના અવતાર પિપ્પલાદ, ભૈરવ તથા રૂદ્રાવતાર હનુમાનજીની પૂજા પણ શનિના પ્રકોપથી રક્ષા કરે છે.
શ્રાવણ શનિવારે નૃસિંહ પૂજા
સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણ શનિવારે સવારે તલનું ઉબટન લગાવીને સ્નાન કરવું જોઇએ. ત્યાર બાદ ભગવાન નૃસિંહની વિશેષ પૂજા કરવી જોઇએ. પછી અડદની દાળથી બનેલી ખિચડીનો નૈવેદ્ય ધરાવવો જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને પણ પ્રસાદનું ભોજન કરાવી દક્ષિણા આપવી જોઇએ. આવું કરવાથી ભગવાન નૃસિંહ પ્રસન્ન થાય છે. ધન અને ધાન્ય વધે છે. સાથે જ, દરેક પ્રકારના સુખ પણ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.