ગુસ્સો એટલે એવો અવગુણ છે, જેના કારણે અનેક પરેશાનીઓ એકસાથે શરૂ થઈ શકે છે. ગુસ્સામાં લીધેલાં નિર્ણય જીવન બરબાદ કરી શકે છે. એક ક્ષણનો ગુસ્સો પણ આપણી સુખ-શાંતિ દૂર કરી શકે છે. એટલે બને તેટલું જલ્દી આ અવગુણ છોડી દેવો જોઈએ. ગુસ્સો કાબૂ કરવા માટે રોજ થોડીવાર મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશનથી નકારાત્મક વિચાર દૂર થાય છે અને એકાગ્રતા વધે છે. સાથે જ, અન્ય લોકોની નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.