તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રાચીન સમયે એક ખેડૂતના ત્રણ દીકરા હતા. તેમની પત્નીનું મૃત્યુ થઇ ગયું હતું અને ત્રણેય દીકરા કુંવારા હતા. આ ખેડૂતે તેના ત્રણેય દીકરાને બોલાવ્યા અને તેમની પાસે રહેલા સોનાના ત્રણ સરખા ભાગ કરીને દીકરાઓને વેચી દીધું. પિતાએ તેમના સંતાનોને કહ્યું, હવે મારો અંતિમ સમય આવી ગયો છે. આ સોનાનો યોગ્ય ઉપયોગ કરશો તો જીવનમાં ખુશ રહેશો. આટલું બોલતા જ વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું.
ત્રણેય બાળકોએ પિતાના અંતિમ સંસ્કાર પછી નક્કી કર્યું કે તેઓ તેમના ભાગનું સોનું લઈને ત્રણ અલગ-અલગ દિશામાં ગયા. 3 વર્ષ પછી તેઓ ઘરે પરત આવ્યા. ત્યાં સુધી ત્રણેયે પોતાના રીતે પ્રયત્નો કર્યા.
મોટા દીકરાનું મન પૂજા-પાઠમાં રહેતું હતું. તે સાધુ બની ગયો. પિતાએ આપેલા સોનાને મંદિરમાં રાખ્યું અને રોજ તેની પૂજા કરવા લાગ્યો. તેણે વિચાર્યું કે આમ કરવાથી પિતાની આત્માને શાંતિ મળશે.
બીજા દીકરાને કવિતા લખવાનો અને અલગ-અલગ રિસર્ચ કરવાનો શોખ હતો. તેણે સોના પર કવિતા લખી અને સોના પર ઘણા રિસર્ચ કર્યા.
બંને દીકરા ગમે તેમ રીતે તેમની ખાવાની વ્યવસ્થા કરતા હતા. નાનો દીકરો બહુ બુદ્ધિમાન હતો. તેણે પિતાએ આપેલું સોનુ વેચી દીધું અને તેના રૂપિયામાંથી ખેતર ખરીદ્યું. તેણે ખૂબ મહેનત કરીને ખેતી કરી. પાક વાવ્યો અને ખૂબ કમાણી કરી.
ત્રણ વર્ષ પછી ત્રણેય દીકરાઓ પોતપોતાના ઘરે પહોંચ્યા ત્યારે આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. જ્યારે ત્રીજો ભાઈ બહુ પૈસાદાર બની ગયો હતો. તેણે પોતાના બને ભાઈને જણાવ્યું કે તે કેવી રીતે ધનવાન બન્યો. મોટા ભાઈઓને તેમની ભૂલ ખબર પડી ગઈ. તેઓ સમજી ગયા કે તેમણે તકનો યોગ્ય ઉપયોગ કર્યો નથી અને આથી જ સ્થિતિ વધારે બગડી ગઈ.
બોધપાઠ: આ વાર્તામાંથી સીખ મળે છે કે, આપણને જે પણ તક મળે છે તેનો ઉપયોગ બુદ્ધિથી કરવો જોઈએ. નહિ તો સમય વીત્યા પછી પસ્તાવું પડે છે. તકને ઓળખો અને તેનો સાચો ઉપયોગ કરો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.