નિર્જળા એકાદશી પછી અને દેવશયની એકાદશી પહેલાં આવતી એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિ જેઠ મહિનાના વદ પક્ષમાં આવે છે. આ વખતે 24 જૂનના રોજ શુક્રવારે રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપ અને યોગીરાજ શ્રીકૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે.
આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઇ જાય છે અને 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય ફળ મળે છે. તેના પછીના દિવસે બારસ તિથિ રહેશે. એટલે આ બંને દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત-ઉપવાસ કરવામાં આવશે.
ત્રણ શુભ યોગમાં એકાદશી વ્રત
24 જૂન, શુક્રવારે ત્રણ શુભ યોગમાં એકાદશી વ્રત શરૂ થશે. આ દિવસે સૂર્યોદય સમયે સુકર્મા, સર્વાર્થસિદ્ધિ અને લક્ષ્મી નારાયણ યોગ રહેશે. આ યોગમાં વ્રતનો સંકલ્પ લેવો શુભ રહેશે. ગુરુ, શુક્ર અને શનિ, ત્રણેય ગ્રહ પોતાની જ રાશિમાં રહેશે. તેનાથી નક્ષત્રોની શુભ સ્થિતિમાં શરૂ થયેલાં આ વ્રતનું પુણ્ય ત્રણગણું થઈ જશે. શુક્રવારે એકાદશી હોવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે એકાદશી વ્રત રાખવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે.
ત્રિપુષ્કર યોગમાં બારસ વ્રત
જેઠ મહિનાના વદ પક્ષની બારસ તિથિ 25 જૂન, શનિવારના રોજ રહેશે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં ગંગાજળ અને તલ મિક્સ કરીને નાહવાનું છે. તે પછી વ્રત અને પૂજાનો સંકલ્પ કરવામાં આવે છે. પછી વ્રત રાખીને ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. પીપળામાં પણ જળ ચઢાવવામાં આવે છે. દિવસભર જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવે છે. આ તિથિના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ જ છે. એટલે બારસ તિથિએ તેમની ખાસ પૂજા કરવાનું વિધાન છે.
જેઠ મહિનાના દેવતા વામન છે
સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવાનું વિધાન છે. કેમ કે, આ મહિનાના દેવતા ભગવાન વામન જ છે. એટલે જેઠ મહિનાની બંને એકાદશી અને બારસ તિથિઓ ઉપર ભગવાન વામનની ખાસ પૂજા અને વ્રત કરવાની પરંપરા છે. વામન પુરાણ પ્રમાણે જેઠ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુના આ અવતારની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સંતાન સુખ મળે છે, જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ અને શારીરિક પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.