વૈશાખ મહિનાના ગુરુવારે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે વિષ્ણુજીની પૂજા સાથે સત્યનારાયણ કથા કરવાનું પણ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. ગુરુવાર, ભગવાન વિષ્ણુનો દિવસ હોવાથી વધારે ખાસ થઈ ગયો છે. આ દિવસે તુલસી અને પીપળાના ઝાડની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વૈશાખ ગુરુવારે ધર્મ-કર્મ
સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું. આ દિવસે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાન જેટલું પુણ્ય મળે છે. તે પછી આખો દિવસ વ્રત, પૂજા અને દાનનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી દૂધ અને પાણીથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. પછી અનેક વસ્તુઓથી પૂજા કરવી જોઈએ. તે પછી અભિષેક કરવામાં આવતા જળમાંથી થોડું પીવું અને બાકીનું જળ પીપળા કે તુલસીમાં ચઢાવી દેવું. તે પછી ગાયને ઘાસ ખવડાવો. પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ-જળ, છત્રી, સફેદ કપડા કે બૂટ-ચપ્પલનું દાન કરો.
પીપળા અને તુલસીની પૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીને જળ ચઢાવો. ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરો. પછી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરો. તે પછી એક લોટામાં પાણી અને દૂધ મિક્સ કરી લો. પછી પીપળાના ઝાડમાં ચઢાવી દો. પછી પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને ઝાડ સામે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રણામ કરો.
વ્રત અને દાન
વૈશાખ મહિનાના ગુરુવારે સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઈએ. પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ અને જળ સાથે જરૂરી વસ્તુઓનું દાન કરી શકાય છે. આખો દિવસ વ્રત કરો. શરીર સાથ આપે તો ઉપવાસ પણ કરી શકાય છે. દિવસમાં ફળાહાર કરી શકાય છે. સિઝનલ ફળ ખાઇ શકો છો. ગુરુવારે વ્રતમાં કેરી ખાવી વધારે શુભ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.