તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંદુ ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ જ શુભ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ષટતિલા એકાદશી વ્રત પોષ મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ આવે છે. આ વખતે આ તિથિ 7 ફેબ્રુઆરી, રવિવારે આવી રહી છે. આ દિવસે કાળ તલથી ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થાય છે. સાથે જ અનેક ગણું પુણ્ય પણ મળે છે.
પૂજાનું શુભ મુહૂર્તઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ પ્રસાદ મિશ્રના જણાવ્યાં પ્રમાણે ષટતિલા એકાદશીએ શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના, દાન-પુણ્ય અને કથા સાંભળવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ષટતિલા એકાદશીના દિવસે સવારે 07:55 થી 09:25 સુધી, સવારે 12:20 થી બપોરે 01:05 સુધી, બપોરે 02:34 થી 03:18 સુધી, સાંજે 06:05 થી 06:30 સુધી શ્રેષ્ઠ મુહૂર્ત છે.
ષટતિલા વ્રતનું મહત્ત્વઃ-
એકાદશીના દિવસે તલનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. સ્નાન, દાન, ભોજન, તર્પણ અને પ્રસાદ બધામાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. તલ સ્નાન, તલનું ઉબટન, તલનો હવન, તલનું તર્પણ, તલનું ભોજન અને તલનું જ દાન કરવાના કારણે ષટતિલા એકાદશી કહેવાય છે. પુરાણો પ્રમાણે જેટલું પુણ્ય કન્યાદાન, હજારો વર્ષની તપસ્યા અને સોનાના દાન પછી મળે છે, તેનાથી અનેકગણું વધારે ફળ માત્ર ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મળી જાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.