આ વર્ષે પંચાંગ ભેદના કારણે હોળીકા દહન કેટલીક જગ્યાએ 6 માર્ચે અને કેટલીક જગ્યાએ 7 માર્ચે ઉજવાશે, 8 માર્ચના રોજ ધુળેટી ઉજવાશે. 6 અને 7 માર્ચના રોજ ફાગણ મહિનાની પુનમના કારણે બે દિવસ વિશેષ પૂજા-અર્ચના કરી શકાશે.
ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, હોળીકા દહન અને ધુળેટી એ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાના વિશેષ તહેવારો છે. ફાગણી પૂર્ણિમાના દિવસે વિષ્ણુના રૂપમાં ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી જોઈએ. આ તહેવારની સાંજે તુલસી પાસે અને હોળી પાસે દીવો પ્રગટાવવો જોઈએ
આ રીતે બાળ ગોપાલનો અભિષેક કરવો
આ શુભ કાર્ય પૂનમનાં દિવસે પણ કરી શકાય છે
પૂનમનાં દિવસે શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો. અભિષેક કર્યા પછી, બીલીના પાન અને ફૂલોથી શણગારો. ચંદનથી તિલક કરો. ધતુરાના ફૂલ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધૂપ અને દીવા પ્રગટાવીને આરતી કરો.
હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમારી પાસે પૂરતો સમય હોય, તો તમે સુંદરકાંડનો પાઠ કરી શકો છો.
જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ, વસ્ત્ર, ચંપલનું દાન કરો. ગૌશાળામાં ગાયોની સંભાળ માટે લીલું ઘાસ અને પૈસાનું દાન કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.