તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભગવાન સૂર્યદેવને સમર્પિત રથ સાતમનું વ્રત મહા મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ રાખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલાં સ્નાન, દાન, હોમ, પૂજા કરવાથી હજાર ગણું વધારે ફળ મળે છે. રથ સાતમના દિવસે સૂર્યોદય સમયે તીર્થ સ્નાન કરવામાં આવે છે. માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન તીર્થ સ્નાન કરવાથી બીમારીઓથી મુક્તિ મળે છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ કારણે રથ સાતમને આરોગ્ય સાતમના નામે પણ ઓળખવામાં આવે છે.
7 પુરાણોમાં મહા મહિનાની સાતમનું મહત્ત્વઃ-
બ્રહ્મ, સ્કંદ, શિવ, અગ્નિ, મત્સ્ય, નારદ અને ભવિષ્ય પુરાણમાં આ દિવસનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે મહા મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ તીર્થ-સ્નાન અને સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. આ દિવસે કરવામાં આવેલાં દાનનું અક્ષય ફળ પણ મળે છે. સાથે જ આ દિવસે વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
લાલ ફૂલ અને ધૂપથી પૂજાઃ-
સ્નાન કર્યા પછી સૂર્યોદય સમયે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે છે. અર્ઘ્યદાનનું અનુષ્ઠાન સૂર્ય ભગવાનને કળશ દ્વારા ધીમે-ધીમે જળ અર્પણ કરીને કરવામાં આવે છે. આ અનુષ્ઠાન દરમિયાન ભક્તોએ નમસ્કાર મુદ્રામાં હોવું જોઇએ અને સૂર્ય ભગવાનની દિશા તરફ મુખ હોવું જોઇએ. તે પછી ભક્તોએ ઘીના દીવા અને લાલ ફૂલ, કપૂર અને અગરબત્તી સાથે સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઇએ. માન્યતા પ્રમાણે આ બધા અનુષ્ઠાન કરવાથી સૂર્ય ભગવાન સારા સ્વાસ્થ્ય દીર્ઘાયુ અને સફળતાનું વરદાન આપે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.