અગહન એટલે કે માગશર મહિનાની પૂનમ શનિવાર, 18 ડિસેમ્બર અને રવિવાર 19 ડિસેમ્બરે છે. આ પૂનમના દિવસે ભગવાન શિવ, વિષ્ણુજી અને બ્રહ્માજીના સંયુક્ત અવતાર ભગવાન દત્તાત્રેયનો પ્રગટ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના અનુસાર, ભગવાન દત્તના પિતા ઋષિ અને માતા અનુસૂયા હતી. શનિવારના રોજ આ પૂનમ હોવાથી આ દિવસે દત્તાત્રેયની સાથે શનિદેવની પણ વિશેષ પૂજા જરૂરથી કરવી.
18 ડિસેમ્બરના રોજ દત્ત પૂનમ અને 19 ડિસેમ્બરે સ્નાન-દાનની પૂનમ રહેશે. ત્યારબાદ 20 ડિસેમ્બરથી નવો મહિનો પોષ શરૂ થઈ જશે. પૂનમ પર કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સ્નાન બાદ સૂર્યને તાંબાના લોટાથી જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
આ પૂનમ પર કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. આવું કરવાથી ઘરે તીર્થયાત્રા કરવાનું અને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પુણ્ય મળી શકે છે.
પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા છે. ભગવાન સત્યનારાયણને કેળા અને હલવાનો ભોગ ધરાવવો. ધૂપ- દીવા પ્રગટાવીને આરતી કરવી. ભગવાનની કથા સાંભળવી. સાથે જ સંકલ્પ લો કે અમે હંમેશા સત્યનો સાથ આપીશું, ક્યારેય જૂઠું નહી બોલીએ. ભગવાનના પ્રસાદનો અનાદર કરવો નહીં.
પૂનમના દિવસે શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચઢાવવું. બિલી પત્ર અને ધતુરો ચઢાવવો. મીઠાઈનો ભોગ લગાવવો. ધૂપ-દીપ પ્રગટાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
રવિવારે સ્નાન-દાનની પૂનમ છે તેથી આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને જળ ચઢાવવું. ગોળ અને તાંબાના વાસણ દાન કરવા. કોઈ મંદિરમાં પૂજાની સામગ્રી ભેટ કરવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.