15 જૂન, બુધવારે બપોરે એટલે આજે લગભગ 12.20 કલાકે સૂર્ય વૃષભ રાશિથી મિથુન રાશિમાં આવી જશે. એટલે આ દિવસે મિથુન સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ મહિનામાં જ વરસાદની સિઝન શરૂ થઈ જાય છે. આ મહિને ભગવાન સૂર્યની ખાસ પૂજા કરવાની પરંપરા છે. એટલે આ સંક્રાંતિ પર્વ વધારે ખાસ થઈ ગયો છે.
સૂર્ય પૂજા અને દાનનું મહત્ત્વ
સ્કંદ અને સૂર્ય પુરાણમાં જેઠ મહિનામાં જ સૂર્ય પૂજાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવે છે. આ હિંદુ મહિનામાં જ મિથુન સંક્રાંતિએ સવારે જલ્દી જાગીને ભગવાન સૂર્યને જળ ચઢાવવામાં આવે છે. સાથે જ, નિરોગી રહેવા માટે ખાસ પૂજા પણ કરવામાં આવે છે. સૂર્ય પૂજા સમયે લાલ કપડા પહેરવા જોઈએ. પૂજા સામગ્રીમાં લાલ ચંદન, લાલ ફૂલ અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા પછી મિથુન સંક્રાંતિએ દાનનો સંકલ્પ લેવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને કપડા, અનાજ અને જળનું દાન કરવામાં આવે છે.
પૂજા અને દાન માટે પુણ્ય કાળ
15 જૂને બપોરે લગભગ 12.20 કલાકે સૂર્યનું રાશિ પરિવર્તન થશે. આ કારણે સૂર્ય પૂજા અને દાન કરવા માટે પુણ્ય કાળ બપોરે 12.20થી સાંજે 7.20 સુધી રહેશે. આ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા અને દાનથી ખૂબ જ પુણ્ય મળે છે. આ દરમિયાન કરવામાં આવતા શ્રાદ્ધથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.
સંક્રાંતિનું ફળઃ મોંઘવારી વધી શકે છે
જ્યોતિષ ગ્રંથોમાં તિથિ, વાર અને નક્ષત્રો પ્રમાણે દર મહિને થતી સૂર્ય સંક્રાંતિનું શુભ-અશુભ ફળ જણાવવામાં આવ્યું છે. આ વખતે મિથુન સંક્રાંતિનું વાહન વરાહ(ડુક્કર) છે. આ કારણે લોકોમાં ભય અને ચિંતા વધશે. તેના પ્રભાવથી મોંઘવારી વધી શકે છે. બીમારીઓમાં ઘટાડો પણ આવશે. ભ્રષ્ટ લોકો અને ગુનેગારોની તાકાત વધશે. આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોતી ભારતના સંબંધ સારા રહેશે. દેશમાં કોઇ સ્થાને વધારે તો કોઈ સ્થાને ઓછો વરસાદ થશે. ગુનાઓ અને ખરાબ કાર્યોને પ્રોત્સાહન મળી શકે છે. ક્રૂર, પાપી અને ભ્રષ્ટ લોકો માટે આ સંક્રાંતિ સારી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.