તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોષ મહિનાની અમાસ 11 ફેબ્રુઆરીના રોજ છે. જેને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. આ પર્વ ખૂબ જ પુણ્ય આપનાર માનવામાં આવે છે. પદ્મપુરાણના ઉત્તરાખંડમાં પોષ મહિનાની અમાસના મહત્ત્વનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે વ્રત, દાન અને તપસ્યાથી પણ ભગવાન વિષ્ણુને તેટલી પ્રસન્નતા થતી નથી, જેટલું પોષ અને મહા મહિનામાં સ્નાન કરવાથી થાય છે. એટલે બધા પાપથી છુટકારો મેળવવા અને ભગવાનને પ્રસન્ન કરવાની ઇચ્છા સાથે આ બે મહિનામાં સ્નાન કરવું જોઇએ. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહા મહિનાની પૂનમ તિથિએ જે વ્યક્તિ બ્રહ્મવૈવર્ત પુરાણનું દાન કરે છે, તેને બ્રહ્મલોક મળે છે.
પિતૃની તૃપ્તિ માટે વિશેષઃ-
ધર્મગ્રંથોમાં જણાવ્યાં પ્રમાણે પોષ મહિનાની અમાસના દિવસે જ બ્રહ્માજીએ પ્રથમ પુરૂષ એટલે સ્વયંભુવ મનુની ઉત્પત્તિની અને સૃષ્ટિની રચનાનું કામ શરૂ કર્યું હતું. આ કારણે તેને મૌની અમાસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓની તૃપ્તિ માટે આ અમાસને ખાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ, પિતૃ પૂજા કરવા અને ખાસ કરીને જળ અને તલથી તર્પણ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે.
મૌન વ્રત રાખવામાં આવે છેઃ-
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પોષ મહિનામાં આવતી અમાસના દિવસે મૌન વ્રત રાખવાથી અને કડવી વાતો ન બોલવાખી મુનિ પદ મળે છે. ધર્મગ્રંથો પ્રમાણે વર્ષની બધી અમાસમાં આ પર્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસ સંગમ અને ગંગામાં દેવતાઓનો વાસ રહે છે. જેનાથી ગંગા સ્નાન કરવું અન્ય દિવસોની અપેક્ષાએ વધારે ફળદાયી હોય છે. આ વર્ષે મૌની અમાસનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે. કેમ કે આ દિવસે હરિદ્વાર કુંભમાં પવિત્ર ડુબકી લગાવવામાં આવશે. આ અવસરમાં ગ્રહનો શુભ સંયોગ અનેક ગણું ફળ આપનાર રહેશે.
સામર્થ્ય પ્રમાણે દાન કરોઃ-
આ દિવસે સૂર્યોદય પહેલાં જ મૌન રહીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઇએ. પોષ મહિનાની અમાસના રોજ ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ. ભગવાનને તલ ચઢાવવા જોઇએ. પોષ મહિનાની મૌની અમાસના દિવસે તલ, ગોળ, કપડાં અને અનાજનું દાન કરવું ખૂબ જ પુણ્ય આપનાર કામ માનવામાં આવે છે. મૌની અમાસના દિવસે પીપળાને જળ આપવું અને પીપળાના પાન ઉપર મીઠાઈ રાખીને પિતૃઓને નેવેદ્ય ધરાવવું જોઇએ. તેનાથી પિતૃદોષ દૂર થાય છે. મૌની અમાસના દિવસે પાણીમાં કાળા તલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપો, મંત્ર જાપ કરો અને જેટલી શ્રદ્ધા હોય તેટલું દાન કરો.
પૂજા-પાઠ અને સ્નાન-દાન માટે પુણ્યકાળઃ-
અમાસ 10 ફેબ્રુઆરીની રાતે લગભગ 12 વાગીને 39 મિનિટથી શરૂ થશે. જે 11 ફેબ્રુઆરીએ રાતે 11.47 સુધી રહેશે. આ કારણે 11 ફેબ્રુઆરીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અમાસનો પુણ્યકાળ રહેશે. આ દરમિયાન સ્નાન-દાન સિવાય પિતૃઓ માટે શ્રાદ્ધા વગેરે પણ કરવાનું વિધાન છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.