11 જૂને ત્રિસ્પર્શા મહાબારસ છે. શનિવારે એકાદશી, બારસ અને તેરસ તિથિનો સ્પર્શ હોવાથી ત્રિસ્પર્શા યોગ બનશે. સાથે જ, આખો દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આવો સંયોગ ઘણો ઓછો બને છે. આ મહાયોગમાં કરવામાં આવતા સ્નાન-દાન, વ્રત અને પૂજા-પાઠથી ત્રણગણું પુણ્ય ફળ મળે છે. સાથે જ, જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. સ્કંદ, નારદ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં તેનું મહત્ત્વ જણાવતા ઉલ્લેખવામાં આવ્યું છે કે બારસ તિથિએ કરવામાં આવતા ધાર્મિક અનુષ્ઠાનોથી અખૂટ પુણ્ય ફળ મળે છે.
ત્રિસ્પર્શા યોગ કઈ રીતે બની રહ્યો છે
જ્યારે કોઈ દિવસે અરૂણોદય કાળ એટલે સૂર્યોદયથી થોડી મિનિટ સુધી એકાદશી હોય, પછી આખો દિવસ બારસ રહે અને તે પછી તેરસ તિથિ હોય ત્યારે ત્રિસ્પર્શા બારસ કહેવાય છે. આવી બારસ તિથિ ભગવાન વિષ્ણને ખૂબ જ પ્રિય છે. એકાદશી, બારસ, તેરસ-ત્રણેય તિથિઓ એક જ દિવસે આવી જવાથી ત્રિસ્પર્શા બને છે. આ મહાયોગમાં વ્રત-ઉપવાસ, સ્નાન-દાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.
બારસ તિથિનું મહત્ત્વ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગ્રંથોમાં દર બારસ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની 12 નામ દ્વારા પૂજા કરવી જોઈએ. સાથે જ, બ્રાહ્મણ ભોજન અથવા જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને અખૂટ પુણ્ય મળે છે. પુરાણો પ્રમાણે આ તિથિએ શુભ પ્રભાવથી સુખ-સમૃદ્ધિ વધે છે અને મોક્ષ મળે છે.
ત્રિસ્પર્શા બારસની પૂજા વિધિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.