16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ:પુણ્ય અને સમૃદ્ધિ માટે આ મહિને વિષ્ણુ પૂજા સાથે અનાજ દાનની પણ પરંપરા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે મકર સંક્રાંતિ સુધી ખરમાસ રહે છે, આ મહિનામાં માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી

સૂર્યના ધન રાશિમાં આવતાં જ ખરમાસની શરૂઆત થઇ જાય છે. તેને ધન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ખરમાસમાં કોઇપણ પ્રકારના માંગલિક-શુભ કામ કરવા જોઇએ નહીં. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ વર્ષે 16 ડિસેમ્બરે સવારે 6.49 વાગ્યે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એટલે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી ધન સંક્રાંતિ હોવાથી ખરમાસ દોષ રહેશે.

ભગવાન વિષ્ણુનું પૂજન કરોઃ-
ખરમાસના પ્રતિનિધિ આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે, એટલે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા નિયમિત કરવી જોઇએ. સાથે જ, વિષ્ણુ તથા શાલિગ્રામનો પંચામૃતથી અભિષેક કરવો જોઇએ. ભગવાનને સજાવીને તેમને વિશેષ પકવાનનો ભોગ ધરાવવો જોઇએ. પ્રભુનું નામ સ્તવન કરી કીર્તન તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો દરરોજ જાપ કરવો જોઇએ. તીર્થમાં જઇને દાન-સ્નાન તથા સૂર્ય અર્ઘ્ય આપવું જોઇએ. આ મહિનામાં તુલસીની પૂજાનું પણ વધારે મહત્ત્વ માનવામાં આવે છે. સવારે જલ્દી જાગીને તુલસીમાં દીવો તથા જળથી પૂજન કરવું જોઇએ અને તુલસીની માળાથી જ ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઇએ.

મકર સંક્રાંતિએ ખરમાસ પૂર્ણ થશેઃ-
સૂર્ય એક મહિના પછી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ખાસ દિવસને મકર સંક્રાંતિ પર્વ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ દેવતાઓની મધ્ય રાત્રિ હોય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવામાં આવે છે. આ દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે. લગ્ન સહિત બધા જ શુભ કામ આ દિવસે શરૂ થઇ જાય છે.

ખરમાસમાં શું કરવું જોઇએઃ-
સૂર્યોદય પહેલાં સ્નાન, સંધ્યા કરીને ભગવાનનું સ્મરણ કરો. ખરમાસમાં સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ. આ મહાધર્મ, દાન, જાપ, તપનો મહિનો માનવામાં આવે છે. તેમાં અનેક ગુણો સાથે લાભ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય કામ કરનારને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ખરમાસમાં બ્રાહ્મણ, ગુરુ, ગાય તથા સાધુ-સંન્યાસીઓની સેવા કરવી જોઇએ.

દાનનું મહત્ત્વઃ-
ખરમાસ મહિનામાં સવારે જાગીને સ્નાન કરવું જોઇએ. તે પછી સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ. એવું પણ માનવામાં આવે છે કે ખરમાસમાં દાન-પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, એટલે આ મહિને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઇએ.

જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે જરૂરી વસ્તુઓ વહેંચી શકાય છે. માગશર મહિનામાં અનાજ સાથે જ વસ્ત્ર દાન પણ કરવામાં આવી શકે છે. ખરમાસમાં ગૌ પૂજન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. ભવિષ્યમાં કોઇપણ પ્રકારના કાર્યમાં સફળતા મળે છે.