17 મેના રોજ એટલે આજે મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ગ્રહ અહીં 27 જૂન સુધી રહેશે. આ ગ્રહના રાશિ પરિવર્તનથી શનિ-મંગળનો અશુભ યોગ દૂર થશે. હવે મીન રાશિમાં ગુરુ, શુક્ર અને મંગળ ત્રણેય ગ્રહોની યુતિ રહેશે. જેની શુભ-અશુભ અસર બધી જ રાશિઓ ઉપર થશે. જ્યોતિષ પ્રમાણે મંગળનો પ્રભાવ યુદ્ધ, જમીન, સાહસ, પરાક્રમ અને બિઝનેસ ઉપર પણ થાય છે. સાથે જ, આ ગ્રહ લગ્નજીવન, ભૌતિક સુખ-સુવિધાઓ અને સફળતાને પણ પ્રભાવિત કરે છે.
ભવિષ્યવાણીઃ સોના-ચાંદીની કિંમત અને શેરબજારમાં તેજી
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીની કિંમત વધી શકે છે. રેશમી કપડા, પ્લાસ્ટિક અને રાસાયણિક વસ્તુઓની કિંમત પણ વધવાના યોગ બની રહ્યા છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ પછી તેજી આવશે. મશીનો પણ મોંઘા થઈ શકે છે. આ સિવાય ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઘટાડો આવે તેવી શક્યતા છે. દાળ-કઠોળ પણ સસ્તા થશે. તેની સાથે જ પ્રોપર્ટીની ખરીદી-વેચાણ માટે પણ સમય સામાન્ય રહેશે.
મંગળના કારણે હવા કે પાણી સાથે જોડાયેલી દુર્ઘટના થવાની શક્યતા છે. દેશના થોડા ભાગમાં હવા સાથે વરસાદ પણ થશે. ભૂકંપ અથવા અન્ય પ્રકારની પ્રાકૃતિક આપત્તિઓ થવાની શક્યતા છે. વહીવટી ફેરબદલ થઈ શકે છે. સેના અને પોલીસ વિભાગ સાથે જોડાયેલાં મામલાઓ સામે આવી શકે છે. જળ સેનાની તાકાત વધશે. દેશની કાનૂની વ્યવસ્થા પણ મજબૂત થઇ શકે છે.
વૃષભ, તુલા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે
મંગળના રાશિ પરિવર્તનથી વૃષભ, તુલા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિની તક મળી શકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહેશે. મંગળના પ્રભાવથી જૂની પરેશાનીઓ અને વિવાદ દૂર થઈ શકે છે.
વૃશ્ચિક અને મીન સહિત પાંચ રાશિઓ માટે સમય સામાન્ય રહેશે
મંગળના પ્રભાવથી મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે. આ 3 રાશિના લોકોને થોડા મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. ફાયદો પણ થશે. કામકાજમાં વિઘ્ન અને ફેરફારનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મામલે ઉતાર-ચઢાવનો સમય રહેશે.
કુંભ સહિત 7 રાશિઓ માટે અશુભ સમય
મંગળના મીન રાશિમાં આવી જવાથી મેષ, સિંહ, ધન અને કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ ચાર રાશિના લોકોએ જોબ અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. તણાવ અને વિવાદની સ્થિતિ બની શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.
અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઇને ઘરેથી બહાર જવું જોઈએ. લાલ ચંદનનું તિલક લગાવવું. લાલ ફૂલોથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાન મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ભોજન કરવું. મસૂરની દાળનું દાન કરો. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને નાહવું. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસર ઘટાડી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.