તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિનામાં 2 વાર ચોથ વ્રત કરવામાં આવે છે. વદ પક્ષની ચોથને સંકટા અને સુદ પક્ષની ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે. આ વખતે મહા મહિનાના સુદ પક્ષની ચોથ 15 ફેબ્રુઆરીએ આવી રહી છે. તેને વરદ, વિનાયક અથવા તલચોથ પણ કહેવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. તેની સાથે જ થોડા ગ્રંથોમાં ચોથ દેવીની પૂજા કરવાનું પણ વિધાન છે. ચોથ વ્રત પરિવાર અને લગ્નજીવનની સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ચોથ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
ચંદ્ર દર્શન અને ગણેશ પૂજાઃ-
મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સુદ અને વદ પક્ષની ચોથના દિવસે વ્રત કરવાની પરંપરા છે. આ દિવસે વ્રત સાથે જ ભગવાન ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે. શિવ પુરાણ પ્રમાણે ભગવાન ગણેશનો જન્મ મદ્યાહન સમયે થયો હતો એટલે અહીં બપોરના સમયે ભગવાન ગણેશની પૂજા પ્રચલિત છે. આ વિસ્તારો સિવાય ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ પણ વ્રત કરવામાં આવે છે, પરંતુ અહીં સાંજે ગણેશ પૂજા પછી ચંદ્રના દર્શન અને પૂજા પછી વ્રત ખોલવાની પરંપરા છે.
પૂજન વિધિઃ-
મહત્ત્વઃ-
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.