રવિવાર, 31 જુલાઈના રોજ શ્રાવણ મહિનાના સુદ પક્ષ ત્રીજ છે, જેને હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે. આ તિથિએ શિવજી સાથે જ દેવી પાર્વતીનું ખાસ પૂજન થાય છે. આ સમયે સતત વરસાદ થવાથી ચારેય બાજુ હરિયાળી ફેલાય જાય છે, આ કારણે આ પર્વને હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે. તૃતીયા તિથિના સ્વામી માતા ગૌરી છે. એટલે તેને ગૌરી ત્રીજ પણ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ દેવી પૂજા અને વ્રત કરે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મહિલાઓ માટે લગ્ન પછી પહેલો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિને નવ પરિણીત મહિલાઓને સાસરિયા તરફથી નવા વસ્ત્ર, ઘરેણાં અને શ્રૃંગારની અન્ય વસ્તુઓ આપવાની પરંપરા છે. પ્રાચીન સમયમાં મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને પોતાની સખીઓ સાથે આખા શ્રાવણ મહિનામાં ખાસ કરીને હરિયાળી ત્રીજ ઉપર ઉત્સવ ઉજવતી હતી.
હરિયાળી ત્રીજ સાથે જોડાયેલી ખાસ વાતો
હરિયાળી ત્રીજના દિવસે આ શુભ કામ કરો
આ દિવસે દેવી માતાને ગાયના દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરવી જોઈએ. ગાયના દૂધથી બનેલાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવી માતાને મધ, મિસરી, દૂધ, દહીં અર્પણ કરવાથી ભક્તોને સુંદરતા અને સુખ-શાંતિ મળે છે. લગ્નજીવનમાં શાંતિ માટે દેવી માતાને સુહાગનો સામાન જેમ કે લાલ ચુંદડી, કંકુ, સિંદૂર વગેરે ચઢાવવા જોઈએ.
હરિયાળી ત્રીજના દિવસે પોતાના ઘરની આસપાસ છોડ વાવવા જોઈએ અને તે છોડની દેખરેખ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.