હરિયાળી અમાસ:આજે ઘરના કુંડામાં બીમારીઓથી બચાવી શકે તેવા 9 ઔષધીય છોડ વાવવા જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબિટિઝ અને પેટની બીમારીઓમાં એલોવેરા ઉપયોગમાં લેવામાં આવે છે, શરદી, ઉધરસ અને તાવને તુલસી દૂર કરે છે

આજે હરિયાળી અમાસ છે. આ પર્વમાં છોડ વાવવાની પરંપરા છે. આ પર્વમાં ઘરના કુંડામાં ઔષધીય છોડ પણ વાવી શકાય છે. જેનો ઉપયોગ કરીને બીમારીઓના સંક્રમણથી બચી શકાય છે. ઇન્યુનિટી વધારનાર આ છોડમાં ગિલોય, તુલસી અને આદું સહિત 10 છોડ સામેલ છે. તેનો ઉલ્લેખ આયુર્વેદમાં જ નહીં પરંતુ અનેક ધર્મગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. અનેક બીમારીઓના ઉપચાર માટે બનાવવામાં આવતી દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

કયા છોડ વાવી શકાય છેઃ-
બીએચયૂની આયુર્વેદાચાર્ય ડો. પૂનમ યાદવ અને બનારસના જ આયુર્વેદિક કોલેજના અધિકારી ડો. પ્રશાત મિશ્રના જણાવ્યા પ્રમાણે ઘરમાં ગિલોય, તુલસી, આંબળા, ફુદીનો, લીમડો, આદુ, એલોવેરા, હળદર, શતાવર, લસણ, મેથી, અજમો વાવી શકાય છે. આ ઔષધીઓ બીમારીઓ સામે લડવાની તાકાત તો વધારે છે સાથે જ તેમાંથી થોડા રોજિંદાના મસાલાઓમાં પણ ઉપયોગ લઈ શકાય છે.

ડાયાબિટિઝ અને પેટની બીમારીઓમાં એલોવેરા ઉપયોગમાં લેવામાં આવે છે, શરદી, ઉધરસ અને તાવને તુલસી દૂર કરે છે
ડાયાબિટિઝ અને પેટની બીમારીઓમાં એલોવેરા ઉપયોગમાં લેવામાં આવે છે, શરદી, ઉધરસ અને તાવને તુલસી દૂર કરે છે

ફાયદાઃ-

  • આંબળાઃ આ છોડમાં વિટામિન સી ખૂબ જ વધારે હોય છે. તે આંખની સમસ્યાઓને ખૂબ જ જલ્દી દૂર કરે છે. આંબળાનો ઉપયોગથી બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.
  • એલોવેરાઃ આ છોડમાં એમીનોએસિડ અને અનેક વિટામિન હોય છે, જેનાથી રોગ પ્રતિરોધાત્મક ક્ષમતા વધે છે. પેટને લગતી અને ડાયાબિટિસની સમસ્યામાં તેનો ઉપયોગ થાય છે.
  • હળદરઃ આ છોડને એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટિરિયલ માનવામાં આવે છે. દૂધ સાથે સેવન કરવાથી શરદીને લગતા રોગ, સાંધાનો દુખાવો અને મોંમા આવતી દુર્ગંધ દૂર થાય છે.
  • આદુઃ આ છોડને એન્ટિબેક્ટિરિયલ ગણોથી યુક્ત માનવામાં આવે છે. કબજિયાત અને શરદીને દૂર કરે છે. મધ સાથે તેનું સેવન કરવાથી ગળાના રોગ દૂર થાય છે.
  • લીમડોઃ- આ છોડ શરીરમાં ઝેરી પદાર્થોને હાનિ પહોંચાડતા અટકાવે છે. તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની શક્તિ હોય છે.
  • તુલસીઃ- તેના પાન અને બીજનું સેવન લોકો શરદી, ઉધરસ અને તાવને દૂર કરવા માટે કરે છે.
  • ફુદીનોઃ- ફુદીનાના રસથી કબજિયાત અને પેટમાં ગેસ બનવાને લગતી બીમારીઓ દૂર થાય છે. તેના પાણીથી કોગળા કરવાથી દાંત અને ગળાના કીટાળુ નષ્ટ થાય છે.
  • ગિલોયઃ- આ એન્ટીઓક્સીડેન્ટ્સના સ્વરૂપમાં કામ કરે છે. તેનો ઉપયોગ તાવસ વાત-પિત્ત અને કફને દૂર કરવા માટે કરવામાં આવે છે.