આજથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ દિવસોમાં દેવી પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. દેવી ભાગવત પુરાણમાં દેવી દુર્ગા અંગે જણાવવામાં આવ્યું છે. તેના મૂળ અંક માં 18 હજાર શ્લોક છે. આ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આપણે કયા-ક્યા કામ કરવા જોઇએ અને ક્યા કાર્યોથી દૂર રહેવું જોઇએ.
દેવી ભાગવત પુરાણના 11માં સ્કંધમાં સદાચાર અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ અધ્યાયમાં ભગવાન નારાયણ અને નારદમુનિના સંવાદ છે. નારદમુનિએ ભગવાનને પૂછ્યું હતું કે, કયા કામોથી દેવી ભગવતીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે? ત્યારે ભગવાન નારાયણે તેમને એવા કામ અંગે જણાવ્યું જે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જોઇએ. પૂજા-પાઠ સાથે જ આ પુરાણની નીતિઓનું ધ્યાન રાખવામાં આવે તો આપણને દેવીની કૃપા મળી શકે છે, આપણી અનેક પરેશાનીઓ દૂર થઇ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.