રવિવારે મોક્ષદા એકાદશી છે. આ દિવસે ગીતા જયંતી પણ ઊજવવામાં આવશે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ શ્રીકૃષ્ણને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. રવિવારે એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ સાથે જ સૂર્ય ભગવાનનું પણ પૂજન કરવું જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ એકાદશી ઠંડીના દિવસોમાં આવે છે. આ કારણે આ પર્વમાં જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડાંનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં ધન અને લીલું ઘાસ પણ દાન કરો.
એકાદશીના દિવસે આ રીતે વ્રત-ઉપવાસ કરી શકો છો
જે લોકો એકાદશીએ વ્રત કરે છે તેમણે સવારે જલ્દી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ સામે પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો. ભગવાનની પૂજા કરો અને પછી આખો દિવસ નિરાહાર રહો. જો ભૂખ્યા રહેવાનું મુશ્કેલ હોય તો દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકો છો. સાંજે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરો. બીજા દિવસે સવારે જલ્દી જાગવું અને પૂજા-પાઠ કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. તે પછી તમે ભોજન કરો. આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે.
રવિવારે આ શુભ કામ પણ કરી શકો છો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.