મંગળવાર, 19 એપ્રિલ એટલે આજે વદ પક્ષની ચોથ છે. મંગળવારે આ તિથિ હોવાથી તેને અંગારક ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણેશજી સાથે જ હનુમાનજી અને મંગળ ગ્રહની પૂજા ખાસ કરવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચોથ તિથિએ ગણેશજી માટે ભક્તો વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી જ ભોજન ગ્રહણ કરે છે. આખો દિવસ ફળાહાર અને દૂધનું સેવન કરવામાં આવે છે. માન્યતા છે કે ચોથના દિવસે વ્રત-ઉપવાસ, પૂજા મંત્રજાપ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. સાથે જ, ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.
મંગળ ગ્રહોના સેનાપતિ છે
જ્યોતિષમાં ઉલ્લેખવામાં આવતાં નવ ગ્રહોમાં મંગળને સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. મંગળ દેવ ભૂમિ પુત્ર છે. મંગળ ગ્રહનું જન્મ સ્થાન મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં માનવામાં આવે છે. મંગળ દેવને લાલ ફૂલ, લાલ ગુલાલ, મસૂર દાળ ખાસ ચઢાવવામાં આવે છે. તેમની પૂજામાં ૐ ભોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મંગળવારનો કારક ગ્રહ મંગળ છે. આ કારણે અંગારક ચોથના દિવસે મંગળ ગ્રહની પણ પૂજા કરવાની પરંપરા છે.
શ્રીરામ ચરિત માનસ પ્રમાણે મંગળવારે હનુમાનજીનો જન્મ થયો હતો. આ કારણે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન સામે ધૂપ-દીપ પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આ દિવસે કોઇ ગૌશાળામાં લીલું ઘાસ અને ધન દાન કરો.
સંકષ્ટી ચોથની પૂજા વિધિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.