ગણેશ ઉત્સવ દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આવે છે. આ વખતે આ ઉત્સવ 9 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન ગણેશજીની ખાસ પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. પરંતુ પૂજા પછી આરતી ન થાય તો પૂજાનું ફળ અડધું જ રહી જાય છે. ભગવાન ગણેશની આરતી કરવાથી લગ્નજીવનમાં સુખ અને સૌભાગ્ય આવે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે. આરતી કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. ત્યાં જ, આરતીમાં સામેલ થનાર લોકો ઉપર પણ ભગવાન ગણેશની કૃપા બની રહે છે.
પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કંકુ, અગર, કપૂર, ઘી અને ચંદનથી સાત કે પાંચ દીવેટ બનાવો. સાથે જ ઘંટ કે સંગીત વાદ્યો વગાડીને આરતી કરવાથી સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગણપતિ ઉત્સવ સિવાય પણ દરેક મહિનાની ચોથે પણ ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. કેમ કે શ્રીગણેશ આ તિથિના સ્વામી છે. તેમની પૂજા કરવાથી આ ખાસ તિથિઓ અને તહેવાર સિવાય દર બુધવારે ગણેશજીની પૂજા અને આરતી કરવી જોઈએ. આવું કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે.
આરતી શરૂ કરતા પહેલાં આ મંત્ર બોલો
चंद्रादित्यो च धरणी विद्युद्ग्निंस्तर्थव च |
त्वमेव सर्वज्योतीष आर्तिक्यं प्रतिगृह्यताम ||
આરતી કર્યા પછી આ મંત્ર બોલો
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ।।
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.