• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Festival Of Bath Donation: A Prosperous Coincidence Will Be Made On Paush Purnima On Friday; Five Auspicious Yogas Will Be Made On This Day From

સ્નાન-દાનનું પર્વ:શુક્રવારે પોષ પૂનમના દિવસે સમૃદ્ધિ આપનાર સંયોગ બનશે, આ દિવસે તિથિ, વાર અને ગ્રહ-નક્ષત્રોથી પાંચ શુભયોગ બનશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોષ મહિનાની પૂનમને સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં પર્વ કહેવામાં આવ્યું છે. આ વખતે આ પૂર્ણિમા 6 જાન્યુઆરીના રોજ રહેશે. આ તિથિમાં સ્નાન-દાન, શ્રાદ્ધ અને વિષ્ણુ પૂજા કરવાનું વિધાનગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે તિથિ, વાર અને ગ્રહ-નક્ષત્રોથી પાંચ શુભ યોગ બની રહ્યા છે. જેથી ખરીદી અને નવી શરૂઆત માટે આ દિવસ ખાસ રહેશે.

આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ કે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દાન અને ઉપવાસથી અક્ષય ફળ મળે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ એટલે 16 કળાએ ખીલેલો રહે છે. એટલે આ દિવસે કરવામાં આવતાં શુભ કાર્યોનું શુભફળ મળે છે.

નક્ષત્રોનો શુભ સંયોગ
આ દિવસે ચંદ્ર આર્દ્રા નક્ષત્રમાં હશે. જેથી પદ્મ નામનો શુભયોગ આખો દિવસ રહેશે. બ્રહ્મ અને ઇન્દ્ર નામના શુભયોગ પણ આ દિવસે રહેશે. ત્યાં જ, સૂર્ય અને બુધ એક જ રાશિમાં હોવાથી બુધાદિત્ય અને તિથિ, વાર અને નક્ષત્રને મળીને સર્વાર્થસિદ્ધિ યોગ બનશે. આ દિવસે ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. નક્ષત્રોની આ સ્થિતિ સુખદ અને સમૃદ્ધિ આપનાર રહેશે. આ દિવસે ગુરુ અને શનિ પોતાની જ રાશિઓમાં રહેશે. નક્ષત્રોની આ સ્થિતિ સુખદ અને સમૃદ્ધિ આપનાર રહેશે. આ દિવસે કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધી જશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતા સ્નાન-દાનનું અનેકગણું ફળ પણ મળે છે.

પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે
પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે

તીર્થ સ્નાન અને પિતૃ પૂજાનું પર્વ
ભારતીય સંસ્કૃતિમાં પોષ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ગંગાજળ કે અન્ય કોઈ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ પૂનમ તિથિએ પિતૃઓની ખાસ પૂજા અને બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે છે. જેથી પિતૃ તૃપ્ત થાય છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે આ પર્વમાં ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની ખાસ પૂજા અને વ્રત કરવામાં આવે છે.

ચંદ્ર સોળ કળાઓથી ખીલેલો રહે છે
આ પર્વમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે 169 થી 180 ડિગ્રીનું અંતર હોય છે. જેથી આ ગ્રહ સામસામે હોય છે અને તેમની વચ્ચે સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે પૂર્ણ રહે છે. એટલે આ દિવસે ઔષધીઓનું સેવન કરવાથી ઉંમર વધે છે. આ યોગમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળે છે.

પૂર્ણિમાના સ્વામી સ્વયં ચંદ્ર છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રની અસર આપણાં મન ઉપર પડે છે. એટલે આ તિથિએ માનસિક ઊથલપાથલ જરૂર થાય છે. શુક્રવાર અને પૂર્ણિમા તિથિથી બનતા શુભ સંયોગમાં કરવામાં આવતા કાર્યોથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે.

અન્ય સમાચારો પણ છે...