પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે, 15 ડિસેમ્બર બુધવારે રાત્રે લગભગ 3.58 પર સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી નાના એટલે કે નિમ્ન સ્તરના કામ કરનારા લોકો માટે સમય સારો રહેશે. વસ્તુઓનો ખર્ચ સામાન્ય રહેશે. દેશના લોકોને ડર અને ચિંતાથી રાહત મળશે. સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થશે. લોકોને સ્વાસ્થ્ય લાભ મળશે. દેશો વચ્ચેના સંબંધો મજબૂત થશે. પાક સારો રહેશે.
વર્ષમાં 2 વખત સૂર્ય બૃહસ્પતિની રાશિમાં આવે છે
ડૉ. મિશ્રના જણાવ્યા પ્રમાણે, સૂર્ય વર્ષમાં બે વખત બૃહસ્પતિની રાશિમાં એક મહિના માટે રહે છે. તેમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ધન અને 15 માર્ચથી 15 એપ્રિલ સુધી મીન રાશિમાં. તેથી આ 2 મહિનામાં જ્યારે સૂર્ય અને બૃહસ્પતિનો યોગ બને છે તો તેને ગુરવાદિત્ય કાળ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
16થી ખરમાસ, 1 મહિના સુધી માંગલિક કાર્ય નહીં થાય
સૂર્ય ધન રાશિમાં આવવાના કારણે હવે 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ ગયા છે. કમુરતા શરૂ થતાં માંગલિક કાર્યો કરી શકાશે નહીં. એક મહિના સુધી કોઈપણ માંગલિક કાર્ય નહીં થાય. કમુરતાનો સમયગાળો 14 જાન્યુઆરીના રોજ પૂરો થશે. ત્યારબાદથી માંગલિક કાર્યોની શરૂઆત થશે.
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, કમુરતામાં તમામ પ્રકારના શુભ કાર્ય જેમ કે વિવાહ, મુંડન, સગાઈ, ગૃહપ્રવેશની સાથે વ્રતાંરભ અને વ્રત જેવા તમામ પ્રકારના શુભ કાર્ય વર્જિત હોય છે. સૂર્યદેવ એક રાશિમાં એક મહિના સુધી રહે છે. ત્યારબાદ તે રાશિ પરિવર્તન કરે છે જેને સંક્રાંતિ કહેવામાં આવે છે, સૂર્ય જે પણ રાશિમાં જાય છે તે જ રાશિને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે જ્યારે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ લાગે છે. મીન સંક્રાંતિ થવા પર પણ ખરમાસ લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.