15 ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. તેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે બુધવારે સવારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. પંચાંગ પ્રમાણે આ રાશિ પરિવર્તન 15 તારીખે જણાવવામાં આવ્યું છે. પરંતુ કાશીના વિદ્વાન પ્રમાણે 16 ડિસેમ્બરે સવારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. એટલે આ દિવસે તીર્થ સ્નાન, દાન અને પૂજાનું મહત્ત્વ વધારે છે.
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે સૂર્યનો કોઇ રાશિમાં પ્રવેશ સંક્રાંતિ કહેવાય છે અને જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. તે માગશર કે પોષ મહિનામાં આવે છે. ધન સંક્રાંતિ પર્વ હેમંત ઋતુમાં ઊજવાય છે. જે આ વર્ષે 16 ડિસેમ્બરના રોજ છે. આ દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી બહાર આવીને ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.
સૂર્યના દિવાકર સ્વરૂપની પૂજાઃ-
ધન સંક્રાંતિના દિવસે સૂર્યદેવના દિવાકર સ્વરૂપની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પર્વમાં પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરવાથી મનુષ્યો દ્વારા કરવામાં આવેલાં ખરાબ કર્મ કે પાપથી મુક્તિ મળે છે. સાથે જ, આ દિવસે પૂજા કરવાથી ભવિષ્ય સૂર્યની જેમ ચમકવા લાગે છે.
પૂજા વિધિઃ-
સંક્રાંતિ પર્વમાં ગૌદાનનું મહત્ત્વઃ-
ધન સંક્રાંતિ પર્વ ઊજવનાર લોકોએ દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. આખો દિવસ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ. કોશિશ કરવી જોઇએ કે આ દિવસે મીઠાનું સેવન ન કરો. આ પર્વમાં ભગવાન સૂર્ય, વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઇએ. આ સિવાય પિતૃ શાંતિ માટે તર્પણ કરવાનું પણ મહત્ત્વ છે.
ધન સંક્રાંતિએ ગૌદાનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ સંક્રાંતિએ ગૌદાનથી દરેક પ્રકારના સુખ મળે છે. પાપ દૂર થાય છે અને પરેશાનીઓથી પણ છુટકારો મળે છે. ગૌદાન ન કરી શકો તો ગાય માટે એક કે વધારે દિવસના ચારાનું દાન કરો. આ પ્રકારે દાન કરવાથી પાપ દૂર થઇ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.