કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ દેવપ્રબોધિની એકાદશી અને દેવઉઠી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 14 નવેમ્બર, રવિવારના રોજ રહેશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે. તે પછી દેવ પ્રબોધિની એટલે કારતક મહિનાની સુદ પક્ષની એકાદશીએ ક્ષીરસાગરમાં ચાર મહિનાની યોગનિદ્રા પછી ભગવાન વિષ્ણુ જાગે છે. ભગવાનના જાગી જવાથી સૃષ્ટિમાં તમામ શક્તિઓનો સંચાર થવા લાગે છે. દેવઉઠી એકાદશીએ શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે તુલસી પૂજા કરવાનું પણ વિધાન છે.
શેરડીનો માંડવો સજશે...સિઝનલ ફળનો ભોગ ધરાવાશે
દેવઉઠી એકાદશીએ ઘર અને મંદિરમાં શેરડીનો મંડપ સજાવીને તેની નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા વિરાજમાન કરી મંત્રો દ્વારા ભગવાન વિષ્ણુને જગાડવામાં આવશે અને પૂજા-અર્ચના કરવામાં આવશે. પૂજામાં ભાજી સહિત શિંગોડા, આંબળા, બોર, મૂળો, સીતાફળ, જામફળ અને અને સિઝનલ ફળ ચઢાવવામાં આવશે. પં. મિશ્રાના જણાવ્યા પ્રમાણે જલ્દી લગ્ન અને સુખી લગ્નજીવનની કામના સાથે આ પૂજા કુંવારા યુવક-યુવતીઓએ પણ ખાસ કરવી જોઇએ.
તુલસીની ખાસિયત
વનસ્પતિ શાસ્ત્રીઓ પ્રમાણે તુલસી નેચરલ એર પ્યૂરિફાયર છે. તે લગભગ 12 કલાક ઓક્સિજન છોડે છે. તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને ઘટાડે છે. તેમાં યૂઝેનોલ કાર્બનિક યોગિક હોય છે જે મચ્છર, માખી અને કીડા ભગાડવામાં મદદ કરે છે.
તુલસી-શાલિગ્રામ લગ્નની પરંપરા
આ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં તુલસી-શાલિગ્રામ લગ્ન કરાવવામાં આવે છે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આ પરંપરાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. દેવ પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપ દૂર થાય છે.
કન્યાદાનનું પુણ્ય
જે ઘરમાં કન્યા ન હોય અને તેઓ કન્યાદાનનું પુણ્ય મેળવવા માંગતાં હોય તો તેઓ તુલસી વિવાદ કરીને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. સાથે જ, આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહા પુણ્ય મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.