મંગળવાર એટલે આજથી ડિસેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે. ડિસેમ્બરમાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ થશે, પરંતુ ભારતમાં જોવા મળશે નહીં. એટલે આ ગ્રહણનું સૂતક પણ ભારતમાં લાગશે નહીં. જાણો આ મહિનામાં ક્યારે કયો ખાસ પર્વ આવી રહ્યો છે...
ગુરુવાર, 3 ડિસેમ્બરના રોજ ગણેશ ચોથ વ્રત છે. આ તિથિએ ગણેશજીને દૂર્વા ચઢાવવી અને વ્રત કરવું. સાંજે ચંદ્રના દર્શન અને પૂજા પછી આ વ્રત પૂર્ણ થાય છે.
સોમવાર, 7 ડિસેમ્બરના રોજ કાલભૈરવ આઠમ છે. આ તિથિએ કાલભૈરવની પૂજા કરો અને દીવો પ્રગટાવો. ઉજ્જૈનમાં સ્થિત કાલભૈરવને ખાસ કરીને દારૂનો ભોગ ધરાવવામાં આવે છે.
શુક્રવાર, 11 ડિસેમ્બરના રોજ ઉત્પતિ એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવે છે. એકાદશી વ્રતથી જાણ્યા-અજાણ્યા કરેલાં પાપ કર્મની અસર દૂર થાય છે.
સોમવાર, 14 ડિસેમ્બરના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ કારણે અહીં તેનું સૂતક લાગશે નહીં. સોમવારે અમાસ તિથિ રહેશે. આ તિથિએ પિતૃઓ માટે પૂજન કર્મ કરવાની પરંપરા છે.
મંગળવાર, 15 ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે નદીમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.
શુક્રવાર, 18 ડિસેમ્બરના રોજ વિનાયકી ચોથ છે. આ તિથિએ પણ ગણેશજી માટે વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ કરવામાં આવે છે.
શુક્રવાર, 25 ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે. તેને ગીતા જયંતી સ્વરૂપમાં પણ ઊજવવામાં આવે છે. આ દિવસે ક્રસમસ પણ ઊજવાય છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરો. ક્રિસમસ પ્રભુ યીશુના જન્મોત્સવ સ્વરૂપમાં ઊજવવામાં આવે છે.
મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ દત્ત પૂર્ણિમા છે. આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો અવતાર થયો હતો. 29 અને 30 તારીખે માગશર મહિનાની પૂર્ણિમા રહેશે. આ તિથિએ નદીમા સ્નાન અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. તે પછી 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.