ગુરુવાર, 13 જાન્યુઆરીએ પોષ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને પવિત્રા કે પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાની પરંપરા છે. પુત્રદા એકાદશી ગુરુવારે હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મળતું શુભફળ વધી જશે. પોષ અને ધનુર્માસ હોવાથી સૂર્યદેવની પૂજા પણ ખાસ કરીને કરવી જોઈએ. આ દિવસે વ્રત-પૂજા કરવાથી સંતાનની ઇચ્છા રાખનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પાણીમાં તલ મિક્સ કરીને નાહવાની પરંપરા
પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીએ પાણીમાં ગંગાજળ અને તલ મિક્સ કરીને નાહવાની પરંપરા છે. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થઈ જાય છે. આ એકાદશીએ તલ ખાવા અને તેનું દાન પણ કરવું જોઈએ. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન શંખથી અભિષેક કરવાનું વિધાન છે. સાથે જ તેના પછી તુલસી પાન ચઢાવવા જોઈએ. આવું કરવાથી મહાપૂજાનું ફળ મળે છે.
પોષ મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્ય પૂજાનું મહત્ત્વ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે હિંદુ કેલેન્ડરના પોષ મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ અને સૂર્ય છે. આ મહિનામાં ભગવાન સૂર્યના ભગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે. ખગોળીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ મહિને સૂર્યનો પ્રકાશ ધરતીના ઉત્તર ગોળાર્ધમાં વધારે સમય માટે રહે છે. એટલે આ દિવસે સૂર્ય પૂજાનું ખૂબ જ વધારે મહત્ત્વ છે.
પોષ મહિનામાં ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ સ્વરૂપ મનુષ્યોને સારા કર્મ કરવાનો બોધપાઠ આપે છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ પણ નારાયણ સ્વરૂપના અવતાર હતાં. એટલે પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત ખાસ માનવામાં આવે છે.
આ દિવસે શું કામ કરવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.