ઉત્પન્ના એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. પુરાણો પ્રમાણે આ દિવસથી જ એકાદશી વ્રત શરૂ થયું. એટલે આ એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. સાથે જ, તેને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. આ વ્રતને પુરાણોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે.
પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત કે ઉપવાસ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. સાથે જ, અનેક યજ્ઞ કરવાનું ફળ પણ મળે છે. શાસ્ત્રો પ્રમાણે જો એકાદશીનું વ્રત કરી શકો નહીં તો પણ એકાદશીના દિવસે ચોખા ખાવા જોઈએ નહીં. આ વ્રતમાં એક સમયે ફળાહાર કરી શકો છો.
એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગે શ્રીકૃષ્ણએ જણાવ્યું
વૈદિક વિશ્વવિદ્યાલય ચિત્તોડના જ્યોતિષાચાર્ય ડો. મૃત્યુંજય તિવારી જણાવે છે કે કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.
આ વ્રત એક દિવસ પહેલાં શરૂ થાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.