વાર્તા- સ્વામી વિવેકાનંદ અને તેમની ગુરુ માતા શારદા સાથે જોડાયેલી ઘટના છે. વિદેશ યાત્રાએ જતાં પહેલાં વિવેકાનંદ માતા શારદા પાસે મંજૂરી અને આશીર્વાદ લેવા પહોંચ્યાં. તેમણે માતાને કહ્યું, માતા, હું સંસારના દુઃખને દૂર કરવા માંગું છું. હું વિશાળ યાત્રા પર જઇ રહ્યો છું. તમે મને આશીર્વાદમાં કોઇ એવો બોધપાઠ આપો, જે વિશ્વ કલ્યાણના ઉદેશ્યમાં મારા કામ આવી શકે.
માતા શારદા ખૂબ જ સહજ અને વિદ્વાન હતાં. તે ત્યારે રસોઈનું કામ કરી રહ્યા હતાં. તેમણે વિવેકાનંદની વાત સાંભળી અને રસોઈ ઘરમાં રાખેલી એેક છરી તરફ ઇશારો કરીને કહ્યું, મને તે છરી લાવીને આપો.
વિવેકાનંદજીએ છરી લાવીને આપી ત્યારે માતા શારદા બોલ્યાં, 'મારો આશીર્વાદ તમારી સાથે છે. હું જાણી ગઇ છું કે તમે સંસારની સેવા જરૂર કરશો'
આ વાત સાંભળીને વિવેકાનંદજી આશ્ચર્ય હતાં. તેમણે કહ્યું, 'માતા, માત્ર ચાકૂ આપવાથી તમે આ કેવી રીતે જાણી લીધું કે હું સંસારની સેવા કરી શકીશ?'
માતા શારદા બોલ્યાં, 'તમે જે રીતે છરી લાવીને મને આપી, તેનાથી હું આ વાત સમજી ગઇ છું'
વિવેકાનંદજીએ છરીની ધારવાળો ભાગ પોતાની તરફ કરીને પકડીને માતા શારદાને છરી આપી હતી.
માતા શારદાએ કહ્યું, 'તમારી પ્રવૃત્તિ દેખાય છે કે તકલીફ તમે જાતે સહન કરશો અને સુરક્ષા અન્યને આપશો.'
બોધપાઠ- જે વ્યક્તિ જાતે કષ્ટ ભોગવીને અન્યને સુખ આપે છે, તે વ્યક્તિ માનવતાની સેવા કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.