તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- રામકૃષ્ણ પરમહંસના સમય એક વિદ્વાન કેશવચંદ્ર સેન હતાં. તેઓ દરેક વાત તર્ક સાથે બોલતા હતાં. આ કારણે તેમની સામે સારા-સારા ભણેલાં અને સમજદાર લોકો પણ ટકી શકતાં ન હતાં.
એક દિવસ કેશવચંદ્ર પરમહંસજી પાસે પહોંચ્યાં. તેમણે પરમહંસજી સામે પરમાત્મા છે કે નહીં, આ વાતને લઇને અનેક તર્ક રાખ્યાં. તેઓ ભગવાનને લઇને સતત બોલી રહ્યા હતાં અને બધા લોકો સાંભળી રહ્યા હતાં. અચાનક પરમહંસજી ઊભા થયા અને કેશવચંદ્રને ગળે લગાવી લીધાં.
પરમહંસજી બોલ્યાં, તમે શું આવ્યાં, જીવનમાં બહાર આવી ગઇ. હું ગામનો એક સીધો માણસ છું. મને એટલું જ્ઞાન નથી. પરંતુ તમારી બુદ્ધિનો વૈભવ જોઇને હું હેરાન છું. તમને જોઇને એક વાત સમજાઇ ગઇ કે ભગવાન છે. કેમ કે, ભગવાન ન હોય તો તમારી જેવા લોકો આ ધરતી ઉપર કેવી રીતે આવે? આ જ પરમાત્મા હોવાનું પ્રમાણ છે.
કેશવચંદ્ર તે સિદ્ધ કરવા આવ્યાં હતાં કે પરમાત્મા નથી. પરંતુ, રામકૃષ્ણજીએ તેમના કોઇ પણ તર્કનો ઉત્તર આપ્યો નહીં. પરંતુ તેઓ નાચવા લાગ્યા અને કેશવચંદ્રના વખાણ કરવા લાગ્યાં.
જ્યારે કેશવચંદ્ર ઘરે પાછા આવ્યાં ત્યારે રામકૃષ્ણજીની આ વાત તેમના દિમાગમાં ફરી રહી હતી કે તમને જોઇને આ વાત સમજાઇ રહી છે કે ભગવાન છે. કેમ કે, ભગવાન ન હોય તો તમારી જેવા લોકો આ ધરતી ઉપર કેવી રીતે આવે? આ જ પરમાત્મા હોવાનું પ્રમાણ છે.
કેશવચંદ્રજીએ તે રાતે પોતાની ડાયરીમાં લખ્યું હતું, આજે પહેલીવાર હું કોઇનાથી હારી ગયો. આ વ્યક્તિને પરાજિત કરવો મુશ્કેલ છે.
બોધપાઠ- આ વાર્તાનો બોધપાઠ એ છે કે જે લોકોને ભગવાન ઉપર વિશ્વાસ છે, તેઓ જો સામાન્ય પણ છે, ત્યારે પણ તેમનો પ્રભાવ મોટાં વિદ્વાન લોકો ઉપર હોય છે. ભક્તોના શરીરમાંથી ઊત્પન્ન થતી પોઝિટિવ એનર્જી તેમનો પ્રભાવ વધારી દે છે. દર વખતે શબ્દોની રમત ચાલતી નથી. જે લોકોનું મન સાફ રહે છે, તેમની વાતો બધા ઉપર અસર કરે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.