તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- રામકથામાં યાજ્ઞવલ્ક્ય અને ભારદ્વાજ ઋષિનો પ્રસંગ ઉલ્લેખવામાં આવ્યો છે. પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં ભારદ્વાજ ઋષિનો આશ્રમ હતો. ત્યાં સાધુ-સંતોનો મેળો લાગ્યો હતો. દૂર-દૂરથી સાધુ-સંત આવ્યાં હતાં.
જ્યારે મેળો પૂર્ણ થયો ત્યારે બધા સાધુ-સંત પોત-પોતાના આશ્રમ પાછા ફરી રહ્યા હતાં. તે સમયે ભારદ્વાજજીએ યાજ્ઞવલ્ક્ય ઋષિને રોકી લીધા. ભારદ્વાજજીએ તેમને નિવેદન કર્યું કે હું તમારી પાસેથી રામકથા સાંભળવા ઇચ્છું છું.
યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું, હું તમને રામકથા સંભળાવી તો દઇશ, પરંતુ હુ જાણું છું કે તમે મારી પાસેથી રામકથા કેમ સાંભળવા ઇચ્છો છો. તમે સ્વયં પણ સંપૂર્ણ રામકથા યોગ્ય રીતે જાણો છો. તમે સ્વયં એક સારા વક્તા છો, પરંતુ મારા મુખથી રામકથા એટલે સાંભળવા ઇચ્છો છો, જેથી સંપૂર્ણ સમાજ એકવાર ફરી રામકથા સાંભળી શકે. મારી અને તમારી વાતચીતથી જે રામકથા આવશે, તે એક નવા દૃષ્ટિકોણથી લોકો સુધી પહોંચશે.
આ વાત સાંભળીને ભારદ્વાજજીએ કહ્યું, આ વાત માટે તમને ધન્યવાદ. વિદ્વાન વ્યક્તિ તે જ છે જે પોતાની અને બીજાની વિદ્વત્તાને સમાજ માટે કામ આવવા દે, તેણે પોતાના અહંકારથી પ્રદૂષિત ન થવા દે.
બોધપાઠ- આ કથાનો સંદેશ એ છે કે ભારદ્વાજ ઋષિ રામકથા જાણતાં હતાં, પરંતુ તેમણે યાજ્ઞવલ્ક્ય ઋષિના મુખથી રામકથા એટલે કહેવડાવી, જેથી સમાજને એકવાર ફરીથી તે કથા સાંભળવા મળી શકે અને લોકો નવા દૃષ્ટિકોણથી કથા સમજી શકે. આપણે પણ વિદ્વાનોનો આવો જ ઉપયોગ કરવો જોઇએ. આપણી પાસે આપણી બુદ્ધિ અને યોગ્યતા છે, પરંતુ અન્યની યોગ્યતાનું પણ સન્માન કરો. વિદ્વાનોને પ્રેરિક કરો કે તેઓ પોતાનું જ્ઞાન અન્ય સુધી પહોંચાડે, જેથી સમાજને નવી વાત જાણવાનો અવસર મળી શકે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.