તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- મહાવીર સ્વામી પાસે એક રાજા મોટાભાગે આવ્યા કરતો હતો. રાજા ખૂબ જ શક્તિશાળી અને ધનવાન હતાં. તે જ્યારે પણ મહાવીર પાસે આવતાં ત્યારે અઢળક ધન, રત્ન-આભૂષણ લઇને આવતાં હતાં, પરંતુ દર વખતે મહાવીર સ્વામી રાજાને એક જ વાત કહેતાં, રાજન્ તેને નીચે મુકી દો.
મહાવીર સ્વામીની વાત માનીને રાજા બધી જ કિંમતી વસ્તુઓ ત્યાં નીચે મુકીને પોતાના મહેલ પાછા ફરતાં હતાં. રાજાને સ્વામીજીનો આ વ્યવહાર ખૂબ દ ખરાબ લાગતો હતો. રાજા એવું ઇચ્છતાં હતાં કે કોઇ એક દિવસ મહાવીર તેમના દ્વારા આપેલી ભેટને સ્વીકાર કરશે, પરંતુ એવું થતું નહીં.
રાજાએ આ વાત પોતાના મંત્રીને જણાવી. મંત્રી ખૂબ જ બુદ્ધિમાન હતો. તેણે કહ્યું, રાજા આ વખતે તમે માત્ર ફૂલ લઇને જાવ
રાજા મંત્રીની વાત માનીને મહાવીર સામે સુંદર ફૂલ ઇને પહોંચ્યાં. સ્વામીજીએ કહ્યું, તેને નીચે રાખી દો.
આ સાંભળીને રાજા નિરાશ થયાં અને ફૂલ ત્યાં નીચે રાખીને મહેલ પાછા ફર્યા અને મંત્રીને સંપૂર્ણ વાત જણાવી. મંત્રીએ કહ્યું, રાજન આ વખતે તમે ખાલી હાથ જાવ, પછી જુઓ શું થાય છે?
રાજા બીજા દિવસે ખાલી હાથ સ્વામીજી સામે પહોંચી ગયાં. રાજાએ કહ્યું, હું દર વખતે તમારા માટે કિંમતી વસ્તુઓ લઇને આવતો હતો, પરંતુ તમે દર વખતે તેને નીચે રાખવા માટે કહી દેતાં હતાં. તે પછી હું ફૂલ લઇને આવ્યો. તમે ફૂલને પણ નીચે રાખવા માટે કહી દીધું. આજે હું ખાલી હાથ આવ્યો છું. હવે જણાવો શું આદેશ છે?
મહાવીર સ્વામી હસીને બોલ્યાં, હવે તમે સ્વયં નીચે નમી જાવ
આ વાત સાંભળીને જ રાજા સમજી ગયા કે મહાવીર અહંકારને નીચે મુકવાની વાત કરી રહ્યા છે.
બોધપાઠ- આપણી આસપાસ થોડી જગ્યા એવી હોય છે, જ્યાં ઘમંડ કરવો જોઇએ નહીં. ઘર-પરિવારમાં, મંદિરોમાં, કોઇ સંત-મહાત્મા સામે અહંકાર કરવો જોઇએ નહીં. આ જગ્યાએ ઘમંડ કરવાથી બચશો તો વધારે લાભ મળશે. જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.