તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- મહાભારતમાં અર્જુન અને સુભદ્રા પતિ-પત્ની હતાં. સુભદ્રા શ્રીકૃષ્ણની બહેન હતાં. જ્યારે સુભદ્રા ગર્ભવતી હતી, ત્યારે એક દિવસ અર્જુન ચક્રવ્યૂહ ભેદવાની વિધિ સમજાવી રહ્યો હતો. ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ આ વિધિ ધ્યાનથી સાંભળી રહ્યું હતું.
અર્જુને ચક્રવ્યૂહની અડધી વિધિ જણાવી દીધી હતી, ત્યારે સુભદ્રાને ઊંઘ આવી ગઇ. માતાને ઊંઘ આવી જવાના કારણે ગર્ભમાં ઉછરી રહેલું બાળક અડધી વિધિ સમજી શક્યું નહીં. જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે તેનું નામ અભિમન્યુ રાખવામાં આવ્યું.
કૌરવ અને પાંડવના યુદ્ધમાં 13માં દિવસે દ્રોણાચાર્યે ચક્રવ્યૂહની રચના કરી હતી. આ વ્યૂહને માત્ર અર્જુન જ ભેદી શકતો હતો. પરંતુ, તે સમયે અર્જુન કોઇ અન્ય સાથે યુદ્ધ કરી રહ્યા હતાં. ત્યારે યુધિષ્ઠિરે અભિમન્યુને કહ્યું કે તુ આ ચક્રવ્યૂહ ભેદી શકે છે.
અભિમન્યુએ યુધિષ્ઠિરને કહ્યું, હું ચક્રવ્યૂહ ભેદી તો શકું છું, પરંતુ મને પાછા આવવાની વિધિ જાણ નથી. કેમ કે, જ્યારે મારા પિતા માતા સુભદ્રાને ચક્રવ્યૂહની વિધિ જણાવી રહ્યા હતાં, ત્યારે અડધી વિધિ પછી માતાને ઊંઘ આવી ગઇ હતી.
યુધિષ્ઠિરે ભીમ અને અન્ય યોદ્ધાઓને અભિમન્યુની મદદ માટે સાથે મોકલ્યાં. અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદીને અંદર પ્રવેશ કરી ગયો, પરંતુ ભીમ અને અન્ય યોદ્ધાઓએ જયદ્રથને બહાર જ રોકી દીધો. ચક્રવ્યૂહમાં અભિમન્યુ એકલો ફસાઇ ગયો અને માર્યો ગયો.
બોધપાઠ- આ ઘટનાથી આપણને એવો બોધપાઠ મળે છે કે, બાળકના ઉછેરમાં માતા-પિતાએ ખૂબ જ સાવધાન રહેવું જોઇએ. ઊંઘ આવવાનો અર્થ છે કે માતા-પિતા બેદરકાર છે. આવી ભૂલની કિંમત બાળકોએ ચૂકવવી પડે છે એટલે માતા-પિતાએ બેદરકારીથી બચવું જોઇએ.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.