ઓટોમોબાઇલ કંપનીઓ પહેલી એપ્રિલથી BS-6 II ઉત્સર્જન માનકો અનુસાર જ કારનું ઉત્પાદન કરશે. તેને કારણે કારની કિંમતમાં 15-50 હજાર રૂપિયાનો વધારો થશે. સાથે જ, એન્ટ્રી લેવલના ટૂ-વ્હીલર્સ પણ 10% મોંઘા થશે તેમજ કોમર્શિયલ વાહનોની કિંમત પણ 5% સુધી વધી શકે છે. ઓટોમોબાઇલ નિષ્ણાત સંજીવ ગર્ગ અનુસાર કિંમતમાં વધારો મૉડલ અને એન્જિનની ક્ષમતા પર નિર્ભર રહેશે.
અગાઉ 1 એપ્રિલ, 2020ના રોજ જ્યારે BS 6-I માનક લાગૂ કરાયું હતું, ત્યારે કારની કિંમતમાં 50-90 હજાર રૂપિયાનો વધારો થયો હતો. બીએસ 6-II માનક ‘રિયલ ડ્રાઇવિંગ એમિશન્સ’ (આરડીઇ)ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં ઉત્સર્જનનું રિયલ ટાઇમમાં મોનિટરિંગ થશે. નવા માનકથી માર્કેટમાં મળનારી કારો યુરો 6 સ્ટેજના ઉત્સર્જન માનકોને સમકક્ષ થશે. કંપનીઓ જૂના માનકો પ્રમાણે કારનું ઉત્પાદન કરી શકશે નહીં. પરંતુ કંપનીઓ પહેલાથી તૈયાર આ પ્રકારની કાર સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી વેચી શકશે.
કંપનીઓએ કારમાં આ ફેરફાર કરવાના રહેશે
અનેક મૉડલોનું ઉત્પાદન બંધ થઇ જશે
ગર્ગે જણાવ્યું કે બીએસ 6- II માનક લાગુ થવાથી નાની કારો, ખાસ કરીને ડીઝલ એન્જિન કારોનો ખર્ચ વધશે. 1.5 લિટર સુધીનું નાનું એન્જિન ધરાવતી કારમાં તેને લાગુ કરવું વધારે મુશ્કેલ થશે. દરમિયાન, 1 એપ્રિલથી અનેક મોડલોનું ઉત્પાદન બંધ થઇ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.