RBIએ એમેઝોન-પે પર રૂ. 3.06 કરોડનો દંડ લાદ્યો:KYC ધોરણોનું પાલન ન કરવા બદલ કાર્યવાહી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે એમેઝોન-પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર 3.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કંપની KYC સંબંધિત સૂચનાઓનું પાલન કરતી ન હતી. RBIએ કહ્યું કે પેમેન્ટ એન્ડ સિસ્ટમ સેટલમેન્ટ એક્ટ, 2007ની કલમ 30 હેઠળ દંડ લાદવામાં આવ્યો છે.

RBIએ પૂછ્યું- દંડ કેમ ન લગાવવો જોઈએ?
RBIએ આ અંગે નોટિસ જારી કરી હતી. જેમાં સુચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કેમ ન વસૂલવો જોઈએ તે અંગે પૂછવામાં આવ્યું હતું. કંપનીના જવાબને ધ્યાનમાં લીધા પછી, RBIએ નાણાકીય દંડ લાદવાનો નિર્ણય કર્યો.

UPI માર્કેટમાં એમેઝોનની હિસ્સેદારી ઓછી
એમેઝોન ભારતમાં ઈ-કોમર્સ સાથે UPI સેવા પણ ધરાવે છે. જોકે, UPI માર્કેટમાં તેનો હિસ્સો ઘણો ઓછો છે. ભારતના UPI માર્કેટમાં PhonePeનો સૌથી વધુ 49% બજાર હિસ્સો છે. PhonePe પછી 34% શેર સાથે Google Pay, 11% શેર સાથે Paytm, 1.8% શેર સાથે ક્રેડિટ-પે આવે છે. વોટ્સએપ, એમેઝોન પે અને બેંકિંગ એપ્સનો હિસ્સો 3.5% છે.

UPIની શરૂઆતથી ક્રાંતિ
2016માં UPIની શરૂઆત સાથે, ડિજિટલ પેમેન્ટની દુનિયામાં ક્રાંતિ આવી. UPIએ સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપી. અગાઉ ડિજિટલ વોલેટનો ટ્રેન્ડ હતો. વોલેટમાં KYC જેવી ઝંઝટ છે, જ્યારે UPIમાં કંઈ કરવાનું નથી.

NPCIએ UPIનું સંચાલન કરે છે
ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમનું સંચાલન RBI પાસે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) IMPS, RuPay, UPI જેવી સિસ્ટમનું સંચાલન કરે છે. સરકારે 1 જાન્યુઆરી, 2020થી UPI વ્યવહારો માટે શૂન્ય-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...