નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી (2014-15) ભારતની માથાદીઠ આવક(પર કેપિટા ઈનકમ) વધીને બમણી થઈ છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી(NSO) અનુસાર, 2014-15માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર બની હતી ત્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આવક 86,648 રૂપિયા વાર્ષિક હતી. જે 2022-23માં બમણી થઈને 1,72,000 રૂપિયા થઈ ગઈ છે. જોકે આવું થવામાં 8 વર્ષ જેટલો સમય લાગ્યો છે.
કોરોનાકાળમાં આવક ઘટી
NSO અનુસાર હાલની કિંમત પર માથાદીઠ વાર્ષિક આવક વર્ષ 2022-23માં 1,72,000 રૂપિયા થવાનું અનુમાન છે. NSO દ્રારા બહાર પાડેલા આંકડા અનુસાર, કોરોના દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકમાં ઘટાડો આવ્યો. જોકે પાછળથી સુધરી અને 2021-22 અને 2022-23માં તેજી જોવા મળી.
માથાદીઠ આવક શું છે?
તે દેશમાં રહેતા લોકોની સરેરાશ આવક છે. આની ગણતરી કરવા માટે, આપણે તે દેશના જીડીપીને તેની કુલ વસ્તી દ્વારા વિભાજીત કરીએ છીએ. આ પછી જે આંકડો બહાર આવે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.