નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. સીતારમણની આ જાહેરાત સાથે જ આખું ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. નાણામંત્રીએ કહ્યું- મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્ત્વની બાબત છે.
નાણામંત્રીએ આને અમૃતકાળનું બજેટ ગણાવ્યું હતું અને આ બજેટમાં મહિલાઓ, દિવ્યાંગો, પછાત વર્ગ, ખેડૂતો, માછીમારો તમામ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બજેટ જાહેર થયા બાદ શેર બજાર ઊંચકાયું છે અને સેન્સેક્સ 1076 અંક અને નિફ્ટી 264 અંક વધી ગયો હતો. બજેટમાં અનેક રાહતો રહેતાં શેરબજારમાં જબરો ઉછાળો આવ્યો છે.
જ્યારે પોલ્યુટેડને પોલિટિકલ કહી દીધું
નિર્મલા સીતારમણે કૃષિ, શિક્ષણ અને ગરીબો માટે મહત્ત્વની જાહેરાત કરી હતી. સુધારાનાં ગંભીર પગલાંઓનો ઉલ્લેખ કર્યો અને આ દરમિયાન એક ફન્ની મોમેન્ટ પણ બની. સ્ક્રેપ પોલિસીનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે પહેલાં કહ્યું – ઓલ્ડ પોલિટિકલ વ્હીકલ્સ હટાવીશું… પછી કહ્યું – સોરી…સોરી... ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલ્સ હટાવીશું.
બજેટની મહત્ત્વની બાબતો...
1. ડિજિટલ લાઇબ્રેરી, શિક્ષકોની ભરતી
બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38 હજાર 800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આ અંતર્ગત 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળશે. 2014 થી, હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે.
2. MSMEને સપોર્ટ
કોરોનામાં નિષ્ફળ ગયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવામાં આવશે. વિવાદોના સમાધાન માટે સ્વૈચ્છિક સમાધાન યોજના લાવવામાં આવશે. લાંબી પ્રક્રિયા વિના વિવાદોનો ઉકેલ આવશે. વ્યવસાયો શરૂ કરવા માટે PAN નંબર પર્યાપ્ત રહેશે. MSMEને 9 હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે. આ સાથે તેઓ રૂ. 2 લાખ કરોડની વધારાની કોલેટરલ ફ્રી ક્રેડિટ મેળવી શકશે. આ યોજના 1 એપ્રિલ 2023થી જ લાગુ થશે.
3. આદિવાસીઓ માટે
પછાત આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે PMPBTG વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. આ PBTG વસાહતોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડશે. 15 હજાર કરોડ આપવામાં આવશે.
કાર્ટૂનિસ્ટ મન્સૂર નકવીની નજરે બજેટ
4. કૃષિ અને સ્ટાર્ટઅપ્સ
યુવાનોના કૃષિ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કૃષિ ફંડની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષ સુધી 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં મદદ કરવામાં આવશે. આ માટે 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
5. યુવા અને રોજગાર
સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓની નવીનતા અને સંશોધનને આગળ લાવવા માટે નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લાવવામાં આવશે. આનાથી દરેક વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ ડેટા એક્સેસ કરવાનું સરળ બનશે. યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરવા માટે, વિવિધ રાજ્યોમાં 30 કૌશલ્ય ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે.
6. 5G ને બૂસ્ટ કરાશે
5G સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવી તકો, બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઊભી કરવામાં આવશે. આ લેબ્સમાં સ્માર્ટ ક્લાસરૂમ, પ્રિસિઝન ફાર્મિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને હેલ્થકેર જેવાં ક્ષેત્રો માટે એપ્સ વિકસાવવામાં આવશે.
પ્રતિ વ્યક્તિ બમણી આવક થઈ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2014થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. 2014થી અત્યાર સુધીમાં માથાદીઠ આવક બમણી થઈ છે, તે વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારતને ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસદર 7% રહ્યો છે. જે અન્ય દેશો કરતાં વધુ મજબૂત છે.
આદિવાસી વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડલ સ્કૂલ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે.
બજેટના સપ્તર્ષિ, નાણામંત્રીએ જણાવ્યું સપ્તર્ષિ શું છે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટના સાત આધારો જણાવ્યા. તેઓ સપ્તર્ષિ કહેવાયાં છે. 1. સમાવેશી વૃદ્ધિ, 2. વંચિતોને પ્રાધાન્ય, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 4. ક્ષમતા વિસ્તરણ, 5. હરિયાળી વૃદ્ધિ, 6. યુવા શક્તિ, 7. નાણાકીય ક્ષેત્ર.
નાણામંત્રીએ કહ્યું કે અમૃત કાળનું વિઝન ટેક્નોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવાનું છે. આ માટે સરકારી ભંડોળ અને નાણાકીય ક્ષેત્રની મદદ લેવામાં આવશે. આ 'જનભાગીદારી' માટે 'સૌનો સાથ, સૌનો વિકાસ' જરૂરી છે.
કેટલીક મોટી જાહેરાતો
રેલવે: 2.40 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. રોકાણ ખર્ચ 33% વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી રહ્યો છે.
વરિષ્ઠ નાગરિકો: બચત ખાતામાં રાખવાની રકમની મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવશે.
મહિલાઃ સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. આમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર વાર્ષિક 7.5% વ્યાજ મળશે.
પીએમ આવાસ યોજનાઃ બજેટમાં 66% વધારો કરવામાં આવ્યો છે. આ સેક્ટર હવે 79 હજાર કરોડ રૂપિયાનું થઈ ગયું છે.
નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર: 2014થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. 50 નવાં એરપોર્ટ, હેલિપેડ અને વોટર એરો ડ્રોન સેન્ટર બનાવવામાં આવશે.
5G સેવા: આ સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવી તકો, બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઊભી કરવામાં આવશે.
નાણામંત્રીએ કહેલી મહત્ત્વની બાબતો
યશવંત સિન્હાએ IT સેક્ટરને બુસ્ટ આપ્યું
1950 સુધી તે રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું હતું. આ વર્ષે બજેટનો થોડો ભાગ લીક થયો અને પ્રિન્ટિંગની જગ્યા બદલીને મિટોં રોડ કરી દેવામાં આવી. ત્યારે નાણાકીય મંત્રી જોન મથાઈ હતાં. 1980 પછી નોર્થ બ્લોકના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવા લાગ્યું.1973-74માં યશવંત રાવ ચહ્વાણે બજેટ જાહેર કર્યું. જેને કાળા બજેટનું નામ મળ્યું, કેમ કે તે સૌથી વધારે 550 કરોડના ઘાટાવાળું બજેટ હતું. 2002-2001માં યશવંત સિન્હાના બજેટને સદીનું બજેટ કહેવામાં આવ્યું. જેણે દેશમાં IT સેક્ટરની તસવીર બદલી. IT સેક્ટરને ખૂબ જ છૂટ મળી ગઈ.
કોમ્યુટર, સીડી જેવી અનેક વસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડવા માટે IT માર્કેટને ખૂબ જ સપોર્ટ મળ્યો. સૌથી વધારે વખત બજેટ જાહેર કરનાર નાણામંત્રી મોરારજી દેસાઈ છે. તેમણે 10 વખત બજેટ જાહેર કર્યું. તેમના પછી ચિદંબરમ (9) અને પ્રણવ મુખર્જી (8)મા નંબરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.